મનીષા કોઇરાલાએ કૅન્સર સામે જંગ લડવામાં મને ખૂબ મદદ કરી: સોનાલી
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે બહલે જણાવ્યું હતું કે કૅન્સરનો સામનો કરવામાં મનીષા કોઇરાલાએ ખૂબ મદદ કરી હતી. મનીષા કોઇરાલાને ૨૦૧૨માં ઑવેરિયન કૅન્સર થયું હતું જેમાંથી તે ૨૦૧૪માં બહાર આવી છે. આ વિશે સોનાલીએ કહ્યું હતું કે ‘મનીષા કોઇરાલા દ્વારા મને મોટી મદદ મળી હતી. તે પોતે કૅન્સરનો ભોગ બની ચૂકી છે અને એમાંથી બહાર આવી છે. તેણે પોતાના અનુભવોને દર્શાવતી એક બુક પણ લખી છે.’
આ પણ વાંચો : ફિલ્મ 'ડૉન'ને 41 વર્ષ પૂરાં થવા પર અમિતાભ બચ્ચને કહ્યું આવું...
ADVERTISEMENT
આ બીમારીનો સામનો કરવા માટે લોકો તેને સલાહ આપીને તેનું મનોબળ પણ વધારતા હતા. હસબન્ડ ગોલ્ડી બહલે તેને ભરપૂર સપોર્ટ આપ્યો હતો. એ વિશે જણાવતાં સોનાલીએ કહ્યું હતું કે ‘ગોલ્ડીએ મને કૅન્સરની બીમારીનો સામનો કરવા માટે મજબૂત પીઠબળ આપ્યું હતું. થૅન્ક ગૉડ કે હું તેને પરણી છું.’