Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે, સોનાક્ષી પેરેન્ટ્સ સાથે વધુ નહીં રહે

હવે, સોનાક્ષી પેરેન્ટ્સ સાથે વધુ નહીં રહે

03 October, 2011 07:45 PM IST |

હવે, સોનાક્ષી પેરેન્ટ્સ સાથે વધુ નહીં રહે

હવે, સોનાક્ષી પેરેન્ટ્સ સાથે વધુ નહીં રહે


 

જોકે તેનો આ ફ્લૅટ મમ્મી-પપ્પાના ઘરની નજીક જ હોવાને કારણે શત્રુઘ્ન સિંહા પોતાની લાડલી દીકરી પર નજર પણ રાખી શકશે. હકીકતમાં શત્રુઘ્નનો જુહુ ખાતે આવેલો ‘રામાયણ’ બંગલો તોડીને ત્યાં અપાર્ટમેન્ટ બ્લૉક્સ બનાવવામાં આવ્યા છે. આ અપાર્ટમેન્ટમાંથી એક અપાર્ટમેન્ટ સોનાક્ષીને અને એક અપાર્ટમેન્ટ દીકરાઓ લવ-કુશને આપવામાં આવ્યા છે, કારણ કે શત્રુઘ્નને લાગે છે કે હવે તેમનાં બાળકો મોટા થઈ ગયાં હોવાને કારણે તેમને સ્વતંત્ર જગ્યાની જરૂર છે. વળી સોનાક્ષી ઍક્ટ્રેસ બની ગઈ હોવાને કારણે તેની લાઇફસ્ટાઇલ સાવ બદલાઈ ગઈ છે. હવે તેને ઘણા લોકો મળવા આવતા હોવાને કારણે તેના માટે અલાયદી જગ્યા જરૂરી બની ગઈ છે.

આ નર્ણિય વિશે વાત કરતાં સોનાક્ષીની મમ્મી પૂનમ કહે છે, ‘બાળકો મોટાં થાય છે એમ તેમને અલાયદી જગ્યા જોઈએ છે. હું અને મારા પતિ ઘણા વખતથી આ મુદ્દે વિચાર કરતાં હતાં. આ જરૂરી છે, કારણ કે હવે તેમની પણ પોતાની અંગત જિંદગી છે. અમારા ખ્યાલ પ્રમાણે ‘રામાયણ’ દિવાળી સુધી તૈયાર થઈ જતાં અમે ફરી એમાં રહેવા ચાલ્યાં જઈશું, પણ આ વખતે ઘરના માળખાની સાથે-સાથે પરિસ્થિતિ પણ અલગ હશે. જોકે આ જ જીવન છે અને પરિવર્તનને અટકાવી શકાતું નથી.’

સોનાક્ષી આ દિવાળી વખતે ભવ્ય હાઉસવૉર્મિંગ પાર્ટી આપવા માગે છે અને લાગે છે કે હવે તે ઘરે સમયસર આવી જવાની પપ્પાની ડેડલાઇન પાળવાના મૂડમાં પણ નથી.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2011 07:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK