Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હનુમાનનાં મમ્મી બનવા સ્નેહા વાઘે શું શરૂ કર્યું?

હનુમાનનાં મમ્મી બનવા સ્નેહા વાઘે શું શરૂ કર્યું?

19 November, 2019 12:54 PM IST | Mumbai

હનુમાનનાં મમ્મી બનવા સ્નેહા વાઘે શું શરૂ કર્યું?

સ્નેહા વાઘ

સ્નેહા વાઘ


હનુમાનનું એક નામ છે અંજનીપુત્ર. ઍન્ડટીવી પર શરૂ થનારી સિરિયલ ‘કહત હનુમાન... જય શ્રીરામ’માં દેવી અંજનીનું એટલે કે હનુમાનજીનાં મમ્મીનું કૅરૅક્ટર કરવા માટે જાણીતી ટીવી-ઍક્ટ્રેસ સ્નેહા વાઘને પસંદ કરવામાં આવી છે, જેની તૈયારીરૂપે સ્નેહાએ યોગની શરૂઆત કરી છે. સ્નેહાએ કહ્યું કે ‘જિમથી ફિઝિકલ ફિટનેસ આવે, પણ યોગ મનથી પણ તમને તંદુરસ્ત બનાવે છે, જે આ પ્રકારનાં ઐતિહાસિક પાત્રો માટે ખૂબ જરૂરી છે. તમારા ચહેરા પર નિરંતર શાંતિ દેખાવી જોઈએ. જિમ એ ન કરી શકે, પણ યોગથી એ શક્ય છે અને એટલે મેં યોગ શરૂ કરી દીધો છે, જેને લીધે બને છે એવું કે મારી સવાર પણ હવે ૬ વાગ્યામાં શરૂ થઈ જાય છે અને રાતે ૧૦ વાગ્યે તો મને આપોઆપ સૂવાનું મન થાય છે અને હું સૂઈ પણ જાઉં છું.’

‘કહત હનુમાન... જય શ્રીરામ’માં દેવી અંજનીનું પાત્ર કરતી સ્નેહાએ અગાઉ પણ અનેક ઐતિહાસિક પાત્રો કર્યાં છે, પણ આ પાત્ર લાંબા સમય સુધી અકબંધ રહેવાનું હોવાથી અને હનુમાનનું એક નામ માતાના નામ પરથી પડ્યું હોવાથી પણ આ પાત્રની ગંભીરતા સમજીને સ્નેહાએ વિશેષ મહેનત શરૂ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2019 12:54 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK