રાહુલ ગાંધીને હરાવવા માટે સ્મૃતિ ઈરાનીએ કરી હતી આ માનતા
સ્મૃતિ ઈરાનીએ પુરી કરી માનતા
ફિલ્મ અને ટીવી શો નિર્માતા એકતા કપૂરે(ekta kapoor) સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તેની સાથે અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની(Smriti Irani) પણ નજર આવી રહ્યા છે. આ ફોટોના માધ્યમથી એકતા કપૂરે ખુલાસો કર્યો છે કે તેઓ સ્મૃતિ ઈરાની સાથે મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે ચાલીને ગયા હતા. તેમણે કુલ 14 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું. મહત્વનું છે કે સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી લોકસભા બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ચૂંટણી જીતીને રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ સ્મૃતિ ઈરાની 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા અને બાપ્પાના દર્શન કર્યા.
ADVERTISEMENT
આ વાતની જાણકારી એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને આપી. સ્મૃતિ ઈરાની સાથેની તસવીર શેર કરતા એકતા કપૂરે લખ્યું છે કે, 'સિદ્ધિવિનાયક, 14 કિમીની પછીનો ગ્લો'. જે બાદ એકતા કપૂરે સ્મૃતિ ઈરાની સાથેના અનેક ઈન્સ્ટાગ્રામના વીડિયો શેર કર્યો છે. એકતાએ એક વીડિયોમાં જણાવ્યું છે કે સ્મૃતિ 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિવિનાયક ચાલીને દર્શન કરવા ગઈ હતી. આ મામલે જ્યારે સ્મૃતિ ઈરાનીએ એકતા કપૂરે કાંઈક કહેવા માટે કહ્યું તો ત્યારે સ્મૃતિએ કહ્યું કે, 'બાપ્પાએ માનતા પુરી કરી છે.' હાલમાં જ એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીને અમેઠીથી બમ્પર જીત પર વધામણી આપી હતી અને તેના પ્રસિદ્ધ શો 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'ની લાઈન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
આ પણ વાંચોઃ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને મળી શકે છે મહત્વનું પદ
મહત્વનું છે કે અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી(Rahul Gandhi) ને કારમી હારનો સ્વાદ ચખાડનારા સ્મૃતિ ઈરાનીને વધામણઈ આપનારની કતાર લાગી હતી. તેના ખૂબ જ સારા દોસ્ત અને તેના ટીવી અને ફિલ્મ કરિયરને ઉડાન આપનાર નિર્માત્રી એકતા કપૂરે તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.