લંડનથી પાછા ફરેલા અનુપ જલોટા મુંબઈની હોટેલમાં આઇસોલેશનમાં
અનુપ જલોટા
સિંગર અનુપ જલોટા લંડનથી પાછા ફરતાં જ તેમને મુંબઈના અંધેરીમાં સ્થિત મિરાજ હોટેલમાં આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે. કોરોના વાઇરસના ભયને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. તેમને આ વાઇરસની ઇફેક્ટ છે કે નહીં એ જાણવા અને સાવચેતી માટે તેમને બે દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે. ડૉક્ટરોની ટીમ તેમની યોગ્ય તપાસ કરી રહી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપ જલોટાએ કૅપ્શન આપી હતી કે ‘૬૦ વર્ષથી વધુની ઉંમરના પ્રવાસીઓની બીએમસીના ડૉક્ટરો જે પ્રકારે કાળજી લઈ રહ્યા છે એનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું. હું લંડનથી મુંબઈ પાછો ફર્યો તો મને મિરાજ હોટેલમાં લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોની ટીમને મારી તપાસ માટે મોકલવામાં આવી હતી. અહીં આવતા દરેક પૅસેન્જરને હું સહકાર આપવાની અપીલ કરું છું જેથી ભારતમાં કોરોના વાઇરસનો વધુ ફેલાવો ન થાય.’