પૌરાણિક પાત્રો ભજવવાં પડકાર સમાન : ગ્રેસી સિંહ
ગ્રેસી સિંહને પૌરાણિક પાત્રો ભજવવાનું ચૅલેન્જિંગ લાગે છે. તે હાલમાં જ &TV પર શરૂ થયેલા નવા શો ‘સંતોષી મા - સુનાએ વ્રતકથાએં’માં જોવા મળી રહી છે. પૌરાણિક પાત્રો વિશે ગ્રેસી સિંહે કહ્યું હતું કે ‘મારા માટે પૌરાણિક પાત્ર ભજવવાં પડકારજનક છે. એના માટે તદ્દન અલગ અવતારમાં પોતાને ઢાળવું પડે છે. સ્ક્રીન પર ભગવાનનું પાત્ર ભજવવું એ કંઈ ઝડપી પ્રક્રિયા નથી, એ સમય માગી લે છે. એનાં કૉસ્ચ્યુમ્સ હેવી હોય છે અને માથા પર કલાકો સુધી મુગટ પહેરી રાખવો એ કંઈ સરળ નથી. જોકે હવે એવું લાગી રહ્યું છે કે દેવીની લાઇફ કેવી રીતે જીવવી એ હું શીખી ગઈ છું.’