ઍક્શન હીરો તરીકે દર્શકોએ સ્વીકાર કર્યો હોવાની મને ખુશી છે : સિદ્ધાર્થ
સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે ઍક્શન-હીરો તરીકે દર્શકોએ તેને પસંદ કર્યો હોવાની તેને ખુશી છે. તેમ જ ‘મરજાવાં’એ બે દિવસમાં જે બિઝનેસ કર્યો છે એનાથી તે ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને રિતેશ દેશમુખે પણ કામ કર્યું છે. ‘મરજાવાં’માં તે લોકલ ગુંડાની ભૂમિકા ભજવી રહ્યો છે જે તેના માલિક માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. આ વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મારી ‘એક વિલન’ અને ‘બ્રધર્સ’એ મને ઍક્શન-હીરો તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી હતી. ત્યાર બાદ દર્શકો માટે મેં એવી એક પણ ફિલ્મ નહોતી કરી. આજે તેમણે ‘મરજાવાં’ને જે રિસપોન્સ આપ્યો છે એની મને ખુશી છે.’
શુક્રવારના ૭.૦૩ કરોડ અને શનિવારના ૭.૨૧ કરોડ સાથે બે દિવસમાં ટોટલ આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘મરજાવાં’એ.