Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઝી ટીવીના આગામી શો માટે સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મેજર ટ્રાન્સફૉર્મેશન

ઝી ટીવીના આગામી શો માટે સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મેજર ટ્રાન્સફૉર્મેશન

27 March, 2020 02:43 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝી ટીવીના આગામી શો માટે સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મેજર ટ્રાન્સફૉર્મેશન

‘ક્યું રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી?’

‘ક્યું રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી?’


‘સરસ્વતીચંદ્ર’ ફૅમ ડિરેક્ટર અરવિંદ બબ્બલ ઝી ટીવી માટે નવો શો બનાવી રહ્યા છે જેનું નામ છે ‘ક્યું રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી?’ આ ફિક્શન શોમાં ‘બાલિકા વધૂ’ ફેમ નેહા મર્દા અને ‘વારિસ’ ફેમ સિદ્ધાંત વીર સૂર્યવંશી લીડ રોલમાં છે. સિદ્ધાંત આ શોમાં કુલદીપ નામના એક બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે અને તે માટે થોડા જુદા લુકની રિક્વાયરમેન્ટ હતી. આ લૂક મેળવવા માટે સિદ્ધાંત વીર સૂર્યવંશી મેજર ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થયો. શોના મેકર્સ ઓન-સ્ક્રીન પિતાની ઈમેજને તોડવા માગતા હતા જેથી સિદ્ધાંતે ફિટનેસને પ્રાધાન્ય આપી પોતાના ફિઝીક પર પણ ધ્યાન આપ્યું છે. જોકે, વજન ઘટાડીને સિક્સ-પૅક ઍબ્સ કે મસલ્સ બનાવવા સિદ્ધાંત માટે સરળ ન હતું.

સિદ્ધાંતે થોડા સમય પહેલાં જ આર્થરાઈટીસની સર્જરી કરાવી છે જેથી તેના માટે એ સમય કપરો હતો. તે એકપણ દિવસનો ગેપ પાડ્યા વગર છ મહિના સુધી સતત ડાયટ અને ફિટનેસ પર ધ્યાન આપતો રહ્યો. હાલ તો કોઇપણ ટીવી શોનું શુટિંગ શક્ય નથી ત્યારે આ શોની ગાડી પાટે ક્યારે ચડે છે તે જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 02:43 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK