Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શ્વેતા તિવારી વિરુદ્ધ પતિ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ

શ્વેતા તિવારી વિરુદ્ધ પતિ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ

03 November, 2020 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શ્વેતા તિવારી વિરુદ્ધ પતિ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ

શ્વેતા તિવારી પરિવાર સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

શ્વેતા તિવારી પરિવાર સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


‘કસૌટી ઝિંદગી કી’ ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. પહેલાં પતિથી છુટાછેડા લીધા બાદ વર્ષ 2013માં અભિનેત્રીએ અભિનવ કોહલી (Abhinav Kohli) સાથે બીજા લગ્ન ક્યા અને લગ્ન બાદ દીકરાનાં જન્મ પછી તેમનાં સંબંધોમાં ખટાશ આવી છે. થોડા મહિના પહેલાં અભિનવે આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની શ્વેતા તેને દીકરાથી અલગ કરી દીધો છે. એક વખત ફરી અભિનવે આ આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, દીકરા રેયાંશને શ્વેતાએ છુપાવી દીધો છે. જોકે, તે તમામ આરોપોની વચ્ચે આશરે એક અઠવાડિયા બાદ તેના દીકરા સાથે મુલાકાત થઈ. એટલું જ નહીં, અભિનવે હવે શ્વેતા વિરુદ્ધ માનહાનિનો કેસ ઠોકી દીધો છે.

શ્વેતા તિવારી ગત મહિનામાં કોરોના પૉઝિટિવ આવવાને કારણે ખુબ ચર્ચામાં હતી. કોરોનાને કારણે તેણે તેના દીકરા રેયાંશને તેનાં પિતા અભિનવ કોહલીને સોપ્યો હતો. પણ હવે અભિનવનો આરોપ છે કે, 25 ઓક્ટોબરથી શ્વેતા તેને લઈ ગઈ છે અને દીકરાને ગુમ કરી દીધો છે.



હાલમાં જ અભિનવે આજતક સાથે ખાસ વાતચિતમાં પોતાનું દુખ જણાવ્યું હતું. અભિનવે જણાવ્યું કે, એક અઠવાડિયા બાદ તે દીકરા રેયાંશને મળ્યો, પણ શ્વેતાએ થોડા જ સમયમાં તેને મારાથી દૂર કરી દીધો. જ્યારે હું મારા દીકરાને મળ્યો તો મને લાગ્યું કે, તે થોડો ડરેલો હતો. જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી પરિવાર અને મારા દીકરા માટે થઇને હું ઘણી સમજૂતી કરતો રહ્યો, પણ શ્વેતાએ મારા પર ઘણાં ખોટા ખોટા આરોપો લગાવ્યાં છે એટલું જ નહીં તેણે મારી ઉપર ખોટા આરોપો લગાવી મને જેલમાં પણ મોકલ્યો. મે તે સમયે ચુપ્પી સાધી લીદી હતી હવે તે મારો દીકરો મારાથી છીનવી રહી છે તો એક પિતાનું દિલ તો બોલશે જ. મેં શ્વેતાને માનહાનિની લિગલ નોટિસ મોકલી દીધી છે. 14 દિવસમાં જો શ્વેતા જવાબ નહીં આપે તો પછી આગળ લિગલ એક્શન પણ લઇશ.


અભિનવે વધુમાં કહ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ નથી પણ આ વાત સત્ય છે કે આપણાં દેશમાં જેટલાં પણ કાયદા મહિલાઓની રક્ષા માટે બન્યા છે તેનો ઉપયોગ જરૂરતમંદ મહિલાઓ ઓછું કરે છે અને ચાલાક અને ખતરનાક મહિલાઓ વધુ કરે છે. જેથી આકાયદો પુરુષો માટે ઘાતક સાબિત થતો જઇ રહ્યો છે.

આ પણ વાંચો: શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ અભિનેત્રી પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું આ...


તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કપહલી વિરુદ્ધ ઘરેલૂ હિંસાનાં કેસમાં ફરિયાદ દાખલ કરી છે. તો અભિનવે પણ ઘણી વખત સોશ્યલ મીડિયા દ્વારા તેનાં દીકરા અને શ્વેતા તિવારી અંગે વાત કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK