સુશાંતની યાદમાં તેની બહેન શ્વેતાએ ભૂખ્યાને જમાડવાની પહેલ શરૂ કરી
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
સુશાંતસિંહ રાજપૂતની યાદમાં તેની બહેન શ્વેતાસિંહ કીર્તિએ ગઈ કાલે ઘરવિહોણા અને ભૂખ્યાજનોને જમાડ્યા હતા. સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી આ કૅમ્પેન ચાલુ હતું. તેની આ પહેલમાં સુશાંતના ફૅન્સે પણ ભાગ લીધો હતો. સુશાંતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી, ‘ચાલો સાથે મળીને આપણે ઘરવિહોણા અને ભૂખ્યેજનોને જમાડીએ. આ કામ કરતાની સાથે જ આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. એવી કામના કરીએ કે સત્ય જેમ બને એમ જલદી સામે આવી જાય. સાથે જ પ્રભુ આપણને યોગ્ય દિશામાં લઈ જાય. આપણા વહાલા સુશાંત માટે સારાં કાર્યો કરવાની સાથે જ તેને માટે પ્રાર્થના પણ કરીએ.’