અંગૂરીને પેટમાં ગલગલિયા શું કામ થાય છે?
શુભાંગી અત્રે
ઍન્ડટીવીના પૉપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હૈ’ની અંગૂરીભાભીને આજે રાતે ઊંઘ નથી આવવાની એ નક્કી છે અને એનું કારણ પણ આજની કરવાચોથ છે. અંગૂરીભાભી એટલે કે શુભાંગી અત્રેને દર વર્ષે કરવાચોથના દિવસે તેના હસબન્ડ ગિફ્ટ આપે છે અને એ ગિફ્ટ માટે અંગૂરીભાભી તલપાપડ હોય છે. શુભાંગીએ કહ્યું કે ‘અમારાં મૅરેજને ૨૦ વર્ષ થઈ ગયાં છે અને તો પણ કરવાચોથની ગિફ્ટની વાત આવે ત્યાં જ મારા પેટમાં ગલગલિયા થવા માંડે. મને જાણવું હોય કે મારે માટે આ વર્ષે શું લેવામાં આવ્યું છે. અમારી પૂજા પૂરી થયા પછી મારા હસબન્ડ મને એ ગિફ્ટ આપે. મારા સસરા પણ મારાં સાસુ માટે ગિફ્ટ લઈ આવે, પણ મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ મારી ગિફ્ટમાં હોય છે, જે અત્યારે પણ છે કે આજે મારે માટે શું ગિફ્ટ આવશે.’
શુભાંગીને આજના દિવસે પીરસવાનું કામ તેના હસબન્ડ કરે છે અને કરવા ચૌથના દિવસે રસોઈ પણ તે જ બનાવે છે.