Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શિંદે ઝઘડાને કારણે નહીં, તબિયતને લીધે શોથી દૂર થઈ છે

શિલ્પા શિંદે ઝઘડાને કારણે નહીં, તબિયતને લીધે શોથી દૂર થઈ છે

09 September, 2020 07:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિલ્પા શિંદે ઝઘડાને કારણે નહીં, તબિયતને લીધે શોથી દૂર થઈ છે

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે


સ્ટાર ભારતના નવા શો ‘ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન’ શરૂ થતાં જ શોમાંથી શિલ્પા શિંદે હટી ગઈ છે. એવું કહેવાતું હતું કે શિલ્પા અને સુનીલ ગ્રોવર વચ્ચે ક્રીએટિવ મતભેદ શરૂ થતાં શિલ્પાએ શો છોડી દેવાનું નક્કી કર્યું, પણ શોનાં ક્રીએટિવ હેડ પ્રીતિએ કહ્યું હતું કે એવી કોઈ વાત નથી. શિલ્પાની તબિયત ખરાબ છે. શિલ્પા રિપોર્ટ કરાવીને આરામ કરીને પછી પાછી આવી શકે છે. સુનીલ ગ્રોવરે આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પણ પ્રીતિએ કહ્યું કે ‘તેણે કશું કહેવું પડે એવું છે જ નહીં. ક્રીએટિવ ડિફરન્સિસ બધા વચ્ચે હોય અને એમાં કશું ખોટું પણ નથી. આ મતભેદ અલ્ટિમેટલી શોના બેનિફિટમાં હોય છે અને અહીં તો સુનીલ કે શિલ્પાને કોઈ મતભેદ જ નથી. શિલ્પા માત્ર ને માત્ર હેલ્થને કારણે જ શોમાંથી બહાર થઈ રહી છે.’

‘ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન’ સોમથી શુક્રવારે રાતે ૮ વાગ્યે આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK