સુશાંતના પિતાને મળવા શેખર સુમન પહોંચ્યા પટના, મીડિયાને કહ્યું આ...
શેખર સુમન પહોંચ્યા પટના
શેખર સુમન તેમાંના એક છે જેમનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ આત્મહત્યા નહીં પણ મર્ડર છે. શેખર સુમન પટનામાં સુશાંતના ઘરે પહોંચ્યા અને ત્યાં તેમણે એક્ટરના પિતા સાથે મુલાકાત કરી. શેખર સુમને આ મુલાકાતની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. શેખર સુમન સુશાંતના સારા મિત્ર અને પ્રૉડ્યૂસર સંદિપ સિંહ સાથે ત્યાં પહોંચ્યા હતા.
Met Sushant's father..shared his grief.we sat together for a few minutes without exchanging a word..He is still in a state of deep shock..I feel the best way to express grief is thru silence.#justiceforSushantforum #CBIEnquiryForSushant . pic.twitter.com/we0VL9w7PM
— Shekhar Suman (@shekharsuman7) June 29, 2020
ADVERTISEMENT
નોંધનીય છે કે #JusticeForSushant ફોરમની શરૂઆત કરી જેથઈ સરકાર પર કેસની સીબીઆઇ તપાસને લઈને દબાણ બનાવી શકાય. તેમનું માનવું છે કે આ પ્લાન્ડ મર્ડર છે. શેખર સુમને સુશાંતના ઘરની બહાર હાજર મીડિયા સાથે પણ આ વિશે વાતચીત કરી, જેનો વીડિયો પણ તેમણે શૅર કર્યો છે.
A fight to finish..at Sushan's house in Patna.won't give up no matter what.#justiceforSushantforum #CBIEnquiryForSushant pic.twitter.com/oydGzKFwIt
— Shekhar Suman (@shekharsuman7) June 29, 2020
સોશિયલ મીડિયા પર દેખાતી તસવીરોમાં શેખર સુમન સુશાંતના પિતા કે.કે. સિંહ સાથે બેઠેલા દેખાય છે. શેખર સુમને જણાવ્યું કે, 'સુશાંતના પિતાજીને મળ્યો તેમનું દુઃખ વહેંચવાનો પ્રયત્ન કર્યો અમે અમુક મિનિટ વગર વાત કર્યા શાંત બેસી રહ્યા. તે હજી પણ ઊંડા આઘાતમાં છે. મને લાગે છે કે દુઃખ વ્યક્ત કરવાની સૌથી સારી રીત મૌન છે.'
શેખર સુમને એક વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં તે સુશાંતના ઘરની બહાર હાજર મીડિયાની ભીડ સાથે પણ વાતચીત કરતા જોવા મળે છે. આ વીડિયો શૅર કરતાં તેમણે લખ્યું છે કે, "એક લડાઇ જેને ખતમ કરવાની છે અને કંઇપણ થાય આ લડાઇ બંધ નહીં કરીએ." મીડિયા સાથે થતી વાતચીતમાં શેખર કહેતા જોવા મળે છે કે અમે જસ્ટિસ ફૉર સુશાંત ફોરમ એક મોહીમ શરૂ કરૂ છે અને જે સામેલ દેખાય છે આ મામલો તેનાથી ઘણો વધારે છે.
શેખર સુમને એક ન્યૂઝ એજન્સી સાથે થયેલી વાતચીતમાં કહ્યું કે, "સુશાંતે કાઇ પો છે સાથે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો, પણ તેને કોઇ એવૉર્ડ ન મળ્યો. સુશાંત કેસને આ રીતે ઉતાવળમાં, ઝડપછી બંધ કકી નાખવાથી શંકાની સોઇ દરેક વ્યક્તિ પર જાય છે. હવે આ મામલે કોઇ બોલે કે ન બોલે, હું ચૂપ નહીં રહું. સુશાંત સાથે મારો એક એક્ટર હોવાનો નાતો છે." તેમણે કહ્યું કે તે સુશાંતના પિતાના દુઃખ અને પીડા સમજી શકે છે. કારણ કે તેમણે પોતે પણ એક દીકરો ખોઇ દીધો છે.