સુશાંતના કેસમાં રાજકીય રંગ આપવાનો આરોપ મૂકનારા લોકો માફી માગે
શેખર સુમન
શેખર સુમનનું કહેવુ છે કે જે લોકોએ સુશાંત સિંહ રાજપૂતના અવસાનને લઈને તેના પર રાજકીય રંગ આપવાનો આરોપ કર્યો હતો તે લોકો હવે તેની પાસે જઈને માફી માગે.
શેખર સુમને પટનામાં તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. એ વિશે ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘હું જ્યારે સુશાંતના મામલામાં પટનામાં તેજસ્વી યાદવને મળ્યો તો અનેક લોકોએ મારા પર આરોપ મૂક્યો કે મને રાજકારણમાં રસ છે. તમને જણાવી દઉં કે બિહારનું ઇલેક્શન તો આવ્યું અને જતું પણ રહ્યું. મને જરા પણ ફરક નથી પડતો. આ બકવાસ જેણે પણ કર્યો છે તેઓ હવે આગળ આવે અને મારી પાસે માફી માગે.’