Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાણીની સમસ્યાનો સ્પીચમાં સમાવેશ કરવા PM મોદીનો આભાર માન્યો શેખર કપૂરે

પાણીની સમસ્યાનો સ્પીચમાં સમાવેશ કરવા PM મોદીનો આભાર માન્યો શેખર કપૂરે

17 August, 2019 10:41 AM IST |

પાણીની સમસ્યાનો સ્પીચમાં સમાવેશ કરવા PM મોદીનો આભાર માન્યો શેખર કપૂરે

પાણીની સમસ્યાનો સ્પીચમાં સમાવેશ કરવા PM મોદીનો આભાર માન્યો શેખર કપૂરે


સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો એ બદલ ફિલ્મ મેકર શેખર કપૂરે તેમનો આભાર માન્યો છે. પાણીની અછત એ હાલનાં સમયમાં વિકરાળ સમસ્યા બની છે. ૧૫મી ઑગસ્ટની એ સ્પીચને શેખર કપૂરે ટ્‍‍વિટર પર શૅર કરી હતી.

લોકોને પાણીને લઈને કેવા પ્રકારની સમસ્યા ઉઠાવવી પડે છે એ અંગે એ વિડિયોમાં વડાપ્રધાન લોકોને અવગત કરાવી રહ્યાં છે. સાથે જ આવનારા સમયમાં પાણીનાં જતન માટે શું યોજનાઓ અમલમાં મુકવામાં આવશે એ સંદર્ભે પણ તેમણે જણાવ્યું હતું. આ વિડિયોને ટ્‍‍વિટર પર શૅર કરીને શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે પાણીની અગત્યતાને તમારી સ્પીચમાં ઉમેરવા બદલ અને સૌને સાથે મળીને એ પાણીની સમસ્યાનો કેવી રીતે ઉકેલ કાઢવો એનાં પર પ્રકાશ પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારો આભાર.



આ પણ વાંચો: આશા રાખું છું કે ‘મિશન મંગલ’ને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે:શર્મન જોષી


સાથે જ પાણીનું જતન કરવાનો સંદેશ આપતાં ટ્‍‍વિટર પર શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા નળમાંથી જે પાણી ટપકે છે એ માત્ર તમારું જ નથી. એ પાણી પર તો સૌનો અધિકાર છે. તમે જ્યારે એ પાણીને વેસ્ટ કરો છો, ત્યારે અન્ય લોકો એ પાણીથી વંચિત રહી જાય છે. જળ એ જીવન છે. પાણીને અગત્યનાં મુદ્દા તરીકે રજુ કરવા માટે થૅન્ક યુ નરેન્દ્ર મોદી.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 10:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK