હું મારી ફિલ્મો નથી જોઈ શકતો : શેખર કપૂર
શેખર કપૂર
શેખર કપૂરનું કહેવું છે કે તે પોતે ડિરેક્ટ કરેલી ફિલ્મો નથી જોઈ શકતા. તેમને લાગે છે કે જો તેઓ પોતાની ફિલ્મ જોશે તો પહેલાં એમાં તેમને ખામી જ દેખાશે. આ વિશે વિસ્તારમાં જણાવતાં શેખર કપૂરે કહ્યું હતું કે ‘મેં (૧૯૮૩) ‘માસૂમ’ બનાવી હોવા છતાં પણ આજ સુધી મેં એને નથી જોઈ. હું મારી બનાવેલી એક પણ ફિલ્મ નથી જોઈ શકતો, કારણ કે હું પહેલાં એમાં ખામી જ શોધીશ અને એને કઈ રીતે સારી બનાવી શકાય એ જ મારા ધ્યાનમાં આવશે.
મારી ફિલ્મોને હું એક દર્શક તરીકે નથી જોઈ શકતો. આ ફિલ્મને રિલીઝ થયાને ઘણાં વર્ષો વીતવા છતાં પણ લોકો આજે પણ એને પસંદ કરે છે એ વાત મને સમજમાં નથી આવતી.’