સુશાંત કેસમાં સંજના સાંઘી બાદ હવે શેખર કપૂરને સવાલો કરાશે
શેખર કપૂર
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુંબઈ પોલીસે સાત કલાક સુધી સંજના સાંઘીની પૂછતાછ કરી હતી. સુશાંતે 14 જૂને બાંદરામાં આવેલા તેના ઘરમાં સુસાઇડ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં તેણે સંજના સાથે કામ કર્યું હતું જે ફિલ્મ ૨૪ જુલાઈએ ઑનલાઇન રિલીઝ થઈ રહી છે. સંજનાને બાંદરા પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી જ્યાં લગભગ સાત કલાક સુધી તેની પૂછતાછ ચાલી હતી. હવે શેખર કપૂરને આ માટે બોલાવવામાં આવશે. શેખર કપૂર અને સુશાંત ‘પાની’માં સાથે કામ કરવાના હતા. જોકે યશરાજ ફિલ્મ્સ અને શેખર કપૂર વચ્ચે મતભેદ થતાં ફિલ્મને પડતી મૂકવામાં આવી હતી. સુશાંતના સુસાઇડ બાદ શેખર કપૂરે ખૂબ જ સખત શબ્દોમાં લોકોની ટીકા કરી હતી અને એથી તેમનું સ્ટેટમેન્ટ મુંબઈ પોલીસ માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે. સુશાંતની બહેન મીતુ અને તેના હસબન્ડની સાથે સુશાંતનો બેસ્ટ ફ્રેન્ડ મહેશ શેટ્ટી પણ મંગળવારે પોલીસને મળ્યાં હતાં.