શર્મિલા ટાગોરને પુત્રવધૂ કરીના પાસેથી છે કઈ ફરિયાદો, જાણો અહીં...
શર્મિલા ટાગોરે પોતાની પુત્રવધૂ કરીના કપૂરના રેડિયો શૉની બીજી સીઝનની પહેલી ગેસ્ટ બની ગઈ છે. રેડિયો શૉ વૉટ વુમન વૉન્ટમાં પહોંચી શર્મિલા ટાગોરે જણાવ્યું કે તેણે કરીના કપૂર ખાનમાં શું સારી વાતો પસંદ કરે છે અને ક્યાં તેને સુધારાની જરૂર છે.
રેડિયો શૉ પર કરીના કપૂરે પોતાની સાસ શર્મિલા ટાગોરને પૂછ્યું, એક વાત જણાવો કે હું જેમાં સારી છું અને તે બાબતો જણાવો કે જેમાં તેને સુધારો કરવાની જરૂર છે. આ સવાલના જવાબમાં શર્મિલા ટાગોરે પુત્રવધૂ કરીના કપૂરના વખાણ કર્યા છે અને કહ્યું છે કે કરીનાની તરત જ ટેક્સ્ટ મેસેજનો જવાબ આપવું પસંદ કરે છે. શર્મિલાએ કહ્યું કે મને તારા ટચમાં રહેવાની રીત ગમે છે કારણકે મને ખબર છે કે જો મેં તને મેસેજ કર્યો છે, તો તું હંમેશાં જવાબ આપીશ. સૈફ અને સોહા એવું નહીં કરે. સોહા તો નક્કી મેસેજનો જવાબ નહીં આપે. મારો કહેવાનો અર્થ છે કે, તે સમય લેશે, પણ તું તરત જવાબ આપીશ.
ADVERTISEMENT
પરિવાર સાથે ચટ્ટાનની જેમ રહે છે કરીના
શર્મિલા ટાગોરે કરીનાના વખાણના પુલ બાંધતા આગળ કહ્યું કે જે પણ કરીનાના ઘરે આવે છે કરીના તેનું ધ્યાન રાખે છે. જો હું કરીના પાસે તેના ઘરે આવું છું તો તે પૂછશે કે હું શું જમીશ અને પહોંચતાંની સાથે જ તે વસ્તું મળશે. શર્મિલાએ જણાવ્યું કે જ્યારે તેના પતિ મંસૂર અલી ખાન ટાઇગર પટૌદી બીમાર હતા ત્યારે કરીનાએ ચટ્ટાનની જેમ પરિવારનો સાથ આપ્યો હતો.
આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો
કરીના તું ક્યારેય તણાવમાં ન આવીશ
શર્મિલાએ એ પણ જણાવ્યું કે કરીનાને કહ્યું સુધારાની જરૂર છે. શર્મિલાએ કરીનાને કહ્યું કે હું પ્રાર્થવા કરું છું કે તું આમ જ રહે. આ જ તારો સ્વભાવ છે. મેં તને તારા સ્ટાફ સાથે કામ કરતાં જોઇ છે. આપણાંમાંથી કેટલાક લોકો ખૂબ જ તણાવમાં આવી જાય છે અને પોતાની આસપાસના લોકો માટે મુશ્કિલો ઊભી કરે છે. પણ તું આમ નથી કરતી. તું હંમેશાં આવી રીતે જ રહેજે અને ક્યારેય તણાવ ન લઈશ.