તોફાન અમ્ફાનથી પીડિત લોકો માટે દુઆ કરી શાહરુખે
શાહરુખ ખાન
વેસ્ટ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા અમ્ફાન તોફાન પીડિતો માટે શાહરુખ ખાને પ્રાર્થના કરી છે. તોફાને ખાસ્સી તારાજી સર્જી છે. લોકો ઘરવિહોણા બની ગયા છે. લોકોને વીજળી અને પાણીની ખૂબ સમસ્યા નિર્માણ થઈ છે. એ તમામ લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં ટ્વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘બંગાળ અને ઓડિશામાં આવેલા અમ્ફાન તોફાનના પીડિતો પ્રતિ પ્રાર્થના અને લાગણી વ્યક્ત કરું છું. સમાચાર જોઈને હું ખૂબ વ્યથિત થઈ ગયો છું. ત્યાનાં તમામ લોકો મારા પોતીકા છે. તેઓ મારી ફૅમિલી સમાન છે. આ કપરા સમયમાં આપણે સૌએ સ્ટ્રૉન્ગ રહેવાની જરૂર છે.’