શબાના આઝમી અને જાવેદ અખ્તરે પણ કરાચીના કાર્યક્રમને કર્યો કૅન્સલ
શબાના આઝમી અને જાવેદ અખ્તર
શબાના આઝમી અને જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવાનો સ્પષ્ટ નકાર કર્યો છે. કરાચી આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કૈફી આઝમીની સોમી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે પાકિસ્તાનમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કૈફી આઝમીનો જન્મ ૧૯૧૯ની ૧૪ જાન્યુઆરીએ થયો હતો. તેમને સો વર્ષ થતાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે શબાના આઝમી અને જાવેદ અખ્તરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે પુલવામામાં થયેલા હુમલા બાદ શબાના આઝમી અને જાવેદ અખ્તરે આ કાર્યક્રમ રદ કર્યો છે.
આ પણ વાંચોઃ પુલવામાના હુમલા બાદ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી કૅન્સલ કરી કંગનાએ
ADVERTISEMENT
આ વિશે શબાના આઝમીએ કહ્યું હતું કે ‘મારા પિતા કૈફી આઝમીની સોમી બર્થ-ઍનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે મને અને જાવેદને બે દિવસ માટેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે કરાચી આર્ટ્સ કાઉન્સિલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પુલવામામાં કરવામાં આવેલા હુમલા બાદ અમારા હોસ્ટ અમારી ઇચ્છાને માન આપીને કાર્યક્રમ કૅન્સલ કરવા માટે તૈયાર થયા એની અમે કદર કરીએ છીએ.’