Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દ્વારકાના જગત મંદિરમાં કંગના રણૌતે ફોટો પડાવતા વિવાદ

દ્વારકાના જગત મંદિરમાં કંગના રણૌતે ફોટો પડાવતા વિવાદ

15 September, 2019 02:47 PM IST | દ્વારકા

દ્વારકાના જગત મંદિરમાં કંગના રણૌતે ફોટો પડાવતા વિવાદ

દ્વારકાના જગત મંદિરમાં કંગના રણૌતે ફોટો પડાવતા વિવાદ

દ્વારકાના જગત મંદિરમાં કંગના રણૌતે ફોટો પડાવતા વિવાદ


બોલીવુડ એક્ટ્રસ કંગના રણૌત હાલ ગુજરાતમાં છે અને સોમનાથ તથા દ્વારકા મંદિરના દર્શને પહોંચી છે. જો કે વિવાદોએ તેનો પીછો અહીં પણ નથી છોડ્યો. કંગનાએ દ્વારકાના જગત મંદિરમાં ફોટો પડાવ્યો અને ઉભો થઈ ગયો વિવાદ. આ ફોટોના કારણે મંદિર પ્રશાસન પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.




1857ના સંગ્રામના નાયિકા ઝાંસીની રાણીની ભૂમિકા પર બનેલી ફિલ્મ મણિકર્ણિકામાં લક્ષ્મીભાઈની ભૂમિકા નિભાવીને લોકો પર છવાઈ જનાર અભિનેત્રી કંગનાએ શુક્રવારે દ્વારકાની તો શનિવારે સોમનાથ મંદિરની મુલાકાત લીધી.



સ્થાનિક મીડિયાએ આ મુદ્દો ઉપાડીને સવાલ કર્યો છે કે, સામાન્ય દર્શનાથીઓને ત્યાં તસવીર લેવાની મનાઈ છે. જ્યારે કોઈ અભિનેતા, નેતા કે પ્રસિદ્ધ વ્યક્તિ મંદિરમાં આવે છે ત્યારે નિયમોની અહેવાલના કરીને તસવીર ખેંચાવવાની મંજૂરી આપવામાં આવે છે. આ એક પ્રકારનો ભેદભાવ છે.

મંદિરના ટ્રસ્ટે કહ્યું કે, તેમની તરફથી આવેલા અધિકૃત ફોટોગ્રાફરે જ ફોટોગ્રાફરે જે ફોટો લીધો હતો અને કંગનાને આપી જેમાં કાંઈ ખોટું નથી. તેઓ ખુદ અભિનેત્રી સાથે હતા. કંગનાનો મોબાઈલ તો સેફમાં રાખી દેવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 02:47 PM IST | દ્વારકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK