Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > એક શો માટે આઠ વખત બન્યો વરરાજા

એક શો માટે આઠ વખત બન્યો વરરાજા

23 November, 2020 05:05 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એક શો માટે આઠ વખત બન્યો વરરાજા

શહેબાન આઝમી

શહેબાન આઝમી


ઝીટીવીના શો ‘તુઝસે હૈ રાબ્તા’માં વધુ એક વાર મલ્હારનનાં મૅરેજની સીક્વન્સ આવી છે. શોમાં આ આઠમી વખત એવું બન્યું છે જેમાં મલ્હાર મૅરેજ માટે વરરાજા બન્યો હોય. મલ્હારનું કૅરૅક્ટર કરતો શહેબાન આઝમી કહે છે, ‘શોની ડિમાન્ડ છે, વાર્તાની જરૂરિયાત છે એટલે આવું કરવું પડે છે, પણ મને એનાથી એક ફાયદો થયો છે. હવે દુલ્હાનું કૅરૅક્ટર મને એવું તો મોઢે થઈ ગયું છે કે હું સાચો દુલ્હો હોઉં એ રીતે ઍક્ટિંગ કરી શકું છું.’ શહેબાન આઝમીને આઠેઆઠ વખત વરરાજા બનવા માટે નવાં કપડાં લાવવામાં આવ્યાં હતાં તો દર વખતે મૅરેજ પોસ્ટપોન થવા પાછળ પણ સ્ટોરીમાં વાજબી કારણ મૂકવામાં આવ્યાં હતાં. આ વખતે થનારાં મૅરેજ પૂરાં થશે કે નહીં એની તો અત્યારે શહેબાનને પણ ખબર નથી. શહેબાન હસીને કહે છે, ‘આશા રાખીએ કે મારાં મૅરેજ ડબલ ડિજિટ સુધી ન પહોંચે.’


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 05:05 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK