જ્યારે અચાનક જેઠાલાલની થઈ રજનીકાંત સાથે મુલાકાત..
દિલીપ જોશીનું સપનું થયું સાકાર
'ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં'...આવું કહી રહ્યા છે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ. કારણ કે આખરે તેમની ઈચ્છા પુરી થઈ છે. અને તે છે રજનીકાંતને મળવાની. દિલીપ જોશીની આ ઈચ્છા પુરી થતા તેઓ ખૂબ જ ખુશ છે.
આવી રીતે થઈ મુલાકાત...
દિલીપ જોશી અને રજનીકાંતની મુલાકાત ફિલ્મ સિટીમાં થઈ. જ્યાં દિલીપ દોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે શૂટિંગ કરી રહ્યા હતા. અને જોગાનુજોગ રજની કાંત પણ ત્યાં હાજર હતા. અને બંનેની મુલાકાત થઈ.
Bhagwan ke Ghar, der hai Andher nahi. Always wanted to meet Rajni Sir in person. It was an absolutely unbelievable coincidence, bumping into him at Film City! An inspiration and the epitome of humbleness. Feeling so...so lucky to have met him ?? Thank You Rajni Sir! ? pic.twitter.com/Ub9qjfuer3
— Dilip Joshi (@dilipjoshie) September 26, 2019
ADVERTISEMENT
દિલીપ જોશીનું સ્વપ્ન થયું સાકાર
રજનીકાંતને મળવાના પોતાના અનુભવને ટ્વિટર પર શેર કર્યા દિલીપ જોશીએ લખ્યું કે,'ભગવાન કે ઘરે દેર હૈ અંધેર નહીં. હું હંમેશા રજનીકાંતને રૂબરૂ મળવા માંગતો હતો. અને અનાયાસે આજે હું તેમને ફિલ્મ સિટીમાં મળ્યા. તેઓ પ્રેરણા સમાન છે અને વિનમ્રતાનું ઉત્તર ઉદાહરણ છે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને તેમને મળવાનો મોકો મળ્યો.'
આ પણ વાંચોઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....
ગરવા ગુજરાતી એવા દિલીપ જોશી રજનીકાંતને મોટા ચાહક છે. હાલ તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર નિભાવી રહ્યા છે. જેનો લોકો ખૂબ જ પસંદ કરે છે.