Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દુર્ગાપૂજાને મિસ કરી રહી છે સાયન્તની ઘોષ

દુર્ગાપૂજાને મિસ કરી રહી છે સાયન્તની ઘોષ

22 October, 2020 11:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુર્ગાપૂજાને મિસ કરી રહી છે સાયન્તની ઘોષ

સાયન્તની ઘોષ

સાયન્તની ઘોષ


સાયન્તની ઘોષ હાલમાં દુર્ગાપૂજાને ખૂબ જ મિસ કરી રહી છે. લૉકડાઉનને કારણે તે તેના ઘરે પણ નથી જઈ શકી. તેમ જ છેલ્લા છ મહિનાથી લૉકડાઉનને કારણે દરેક વ્યક્તિ એકબીજાને પૉઝિટિવ એનર્જી આપવાની કોશિશ કરી રહી છે. જોકે આ પૉઝિટિવ એનર્જી સાયન્તનીને ‘બૅરિસ્ટર બાબુ’ અને ‘શાનદાર રવિવાર’ પાસેથી મળી છે. આ વિશે સાયન્તનીએ કહ્યું હતું કે ‘દુર્ગાપૂજા દરમ્યાન કલકત્તાનો માહોલ એકદમ અલગ હોય છે. આ તહેવારની તોલે કંઈ નથી આવી શકતું અને દરેક વ્યક્તિ એની આતુરતાથી રાહ જોતી હોય છે. કલકત્તાના દરેક રસ્તા પર એક પંડાલ હોય છે. જોકે આ વર્ષે હું દુખી છું કે હું ત્યાં નથી જઈ શકતી. ફ્લાઇટ ચાલુ છે, પરંતુ હાલની સ્થિતિ અને મારા પેરન્ટ્સની પણ ઉંમર હોવાથી હું કોઈ રિસ્ક નથી લેવા માગતી. અમારા શોનો હાલનો ટ્રૅક દુર્ગાપૂજાનો છે અને ‘શાનદાર રવિવાર’માં પણ હું દુર્ગાપૂજા પર પર્ફોર્મન્સ આપી રહી છું. આશા રાખું છું કે આવતા વર્ષે મા દુર્ગાની કૃપાથી હું ત્યાં જઈ શકું.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 11:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK