Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કારના મુદ્દે ચૂપ રહેલા શાહરુખ ખાન પર રોષે ભરાઈ સયાની ગુપ્તા

બળાત્કારના મુદ્દે ચૂપ રહેલા શાહરુખ ખાન પર રોષે ભરાઈ સયાની ગુપ્તા

04 October, 2020 05:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બળાત્કારના મુદ્દે ચૂપ રહેલા શાહરુખ ખાન પર રોષે ભરાઈ સયાની ગુપ્તા

શાહરુખ ખાન, સયાની ગુપ્તા

શાહરુખ ખાન, સયાની ગુપ્તા


યુવતીઓ પર કરવામાં આવેલા બળાત્કાર અને ‌ત્યાર બાદ કરાયેલી તેમની હત્યાના મામલે શાહરુખ ખાનના મૌન પર સયાની ગુપ્તાએ પ્રહાર કર્યા છે. ગાંધી જયંતી નિમિત્તે શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘આ ગાંધી જયંતી નિમિત્તે આપણે આપણાં બાળકોને એ શીખવાડવું જોઈએ કે સમય કેવો પણ આવે, સારો કે નરસો; હંમેશાં ખરાબ ન સાંભળવું, ખરાબ ન જોવું અને ખરાબ ન બોલવું. ગાંધીબાપુની ૧૫૧મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમના સત્યના આદર્શોને યાદ રાખવા જોઈએ.’

આ ટ્વિટ સામે સયાની ગુપ્તાએ રિ-ટ્વિટ કરી હતી. તેણે લખ્યું હતું કે સત્ય તો બોલવું જ જોઇએ પરંતુ ગાંધીજીએ એ પણ શીખવ્યું છે કે સત્ય માટે પણ બોલવું જોઇએ. પીડિતો માટે અવાજ ઉઠાવવો જોઇએ, દલિત ભાઈ-બહેનોના હક માટે બોલવું જોઇએ. માત્ર પોતાના કાન-આંખ બંધ કરી દેવા જોઇએ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK