જૉન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ 2021ની 12 મેએ એટલે ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. આ વખતે આ ફિલ્મમાં લખનઉના ભ્રષ્ટાચારને દેખાડવામાં આવશે. 2018માં આવેલી ‘સત્યમેવ જયતે’ને ખાસ્સી સફળતા મળી હતી. હવે આ ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જવાનો નિર્ણય જૉન એબ્રાહમ, ડિરેક્ટર મિલાપ ઝવેરી અને પ્રોડ્યુસરે કર્યો છે. આ સીક્વલ માટે દિવ્યા ખોસલા કુમારને લીડ રોલ માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મને ટી-સિરીઝ સહિત અન્ય પ્રોડ્યુસર્સ પ્રોડ્યુસ કરશે. ફિલ્મ વિશે મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની ઍક્શન આ વખતે પહેલાં કરતાં દસગણી વધુ ગતિશીલ, બહાદુરીથી ભરપૂર અને શક્તિશાળી દેખાડવામાં આવશે. જૉન ભ્રષ્ટાચારને કચડશે, ફાડશે અને વિનાશ કરશે જે તેણે આ પહેલાં કદી પણ સિલ્વર સ્ક્રીન પર નથી કર્યું એટલું જ નહીં, દિવ્યા પણ દર્શકોને પોતાની પાવરફુલ ઍક્શન, વીરતા અને સુંદરતાથી આકર્ષિત કરશે. ‘સત્યમેવ જયતે 2’નો પહેલો ભાગ ભવ્ય હતો અને સાથે જ ઍક્શન, મ્યુઝિક, ડાયલૉગબાજી, દેશભક્તિ અને હીરોઇઝમને સેલિબ્રેટ કરે છે.’
HBD Bobby Deol: આ વૅબ સિરીઝે બદલી નાખી 'ફ્લૉપ અભિનેતા'ની ઈમેજ
27th January, 2021 10:19 ISTકન્નડ ઍક્ટ્રેસ જયશ્રી રમૈયાએ કર્યું સુસાઇડ
26th January, 2021 16:35 ISTકદી ન કર્યું હોય એવું કામ કરવામાં માને છે સ્વરા ભાસ્કર
26th January, 2021 16:32 ISTટીઝરને મળેલા રિસ્પૉન્સથી ખુશ હોવાની સાથે નર્વસ પણ છું: પરિણીતી ચોપડા
26th January, 2021 16:29 IST