સારા ખાને કોરોનાને માત આપીને શૂટિંગ શરૂ કર્યું
સારા ખાન
સારા ખાને કોરોના સામેની લડાઈ જીતી લીધા બાદ હવે ફરીથી કામ શરૂ કર્યું છે. તે ‘સંતોષી મા સુનાયે વ્રત કથાયએં’માં દેવી પોલોમીનું પાત્ર ભજવી રહી છે. કોરોના થતાં એ વિશે સારાએ કહ્યું હતું કે ‘મને હલકો તાવ હતો, સ્વાદની જાણ નહોતી અને સુગંધ પણ સમજમાં નહોતી આવતી. ટેસ્ટમાં તો જાણ થઈ ગઈ હતી. હું શરૂઆતમાં તો ગભરાઈ ગઈ હતી. જોકે બાદમાં એને સ્વીકારી લીધું હતું. બાદમાં જાતે જ હોમ ક્વૉરન્ટીન થઈ ગઈ હતી. સૌથી અગત્યનું હતું ઇમ્યુન સિસ્ટમને અને હેલ્થને જાળવી રાખવાનું. સાથે જ વિટામિન્સ અને ઘણીબધી ગરમ વસ્તુઓથી અસર થઈ. હું એટલું જ કહેવા માગું છું કે વ્યાકુળ ન થવું અને ડૉક્ટર્સ જે સલાહ આપે એનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી લોકોથી અંતર જાળવીને રાખવું. સાથે જ માસ્ક હંમેશાં પહેરીને રાખવો ખૂબ જરૂરી છે. મેં ફરીથી કામ શરૂ કરતાં જરૂરી સાવધાની રાખું છું. મારી ઇમ્યુન સિસ્ટમને પણ સ્ટ્રૉન્ગ બનાવવા પર કામ કરી રહી છું.’