Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સંતોષી માં સુનાએં વ્રત કથાએંમાં નવદુર્ગાનાં દરેક સ્વરૂપ જોવા મળશે

સંતોષી માં સુનાએં વ્રત કથાએંમાં નવદુર્ગાનાં દરેક સ્વરૂપ જોવા મળશે

23 October, 2020 03:50 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સંતોષી માં સુનાએં વ્રત કથાએંમાં નવદુર્ગાનાં દરેક સ્વરૂપ જોવા મળશે

મા પાર્વતીનું કૅરૅક્ટર કરતી ગરિમા પરિહારે નિભાવ્યા નવેનવ અવતાર

મા પાર્વતીનું કૅરૅક્ટર કરતી ગરિમા પરિહારે નિભાવ્યા નવેનવ અવતાર


ઍન્ડટીવીના શો ‘સંતોષી માં સુનએં વ્રત કથાએં’માં નવરાતત્રિનું સેલિબ્રેશન અદ્ભુત રીતે થવાનું છે અને એમાં નવરાત્રિ દરમ્યાન જે નવદુર્ગાનું પૂજન થાય છે એ દુર્ગાનાં નવેનવ રૂપની વાત કહેવામાં આવશે તો એ નવેનવ સ્વરૂપ દેખાડવામાં પણ આવશે. માતાજીનાં આ જે ૯ રૂપ છે એ રૂપ ભજવવાની તક ગરિમા પરિહારને મળી છે. ગરિમા સિરિયલમાં પાર્વતી માતાનું કૅરૅક્ટર નિભાવે છે. ગરિમાએ કહ્યું કે ‘અગાઉ ક્યારેય એ ખબર નહોતી કે ૯ સ્વરૂપની વાત શું છે અને શું કામ મા દુર્ગા ૯ સ્વરૂપ ધારણ કરે છે પણ શોને કારણે આજે મને એ નવેનવ રૂપ અને એની સાથે જોડાયેલી વાતની પણ ખબર પડી, જેને લીધે હવે મારે નવરાત્રિનું મહત્ત્વ રીતસર બદલાઈ ગયું છે.’

નવરાત્રિ દરમ્યાન જે ૯ રૂપની વાત કહેવામાં આવી છે એ ૯ રૂપમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા,



સ્કન્દ માતા, કાત્યાયની, કાલરાત્રિ અને સિદ્ધિદાત્રી માતાનો સમાવેશ છે. આ નવેનવ માતાજીનો સ્ક્રીન પર સાક્ષાત્કાર ગરિમાએ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2020 03:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK