શૉર્ટફિલ્મ દાળભાત માટે કચ્છ પહોંચેલા સંજય મિશ્રાએ ફોટોગ્રાફી કરી
સંજય મિશ્રાએ ગુજરાતી શૉર્ટફિલ્મ ‘દાળભાત’ માટે કચ્છમાં પહોંચીને ફોટોગ્રાફીનો પોતાનો શોખ પૂરો કર્યો હતો. કચ્છના ખારડિયા ગામમાં શૂટિંગ સિવાય સંજય મિશ્રાએ ફોટોગ્રાફીનો પણ આનંદ લીધો હતો. અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી તેણે લોકોને પોતાના તરફ આકર્ષ્યા છે. ફોટોગ્રાફી વિશે જણાવતાં સંજય મિશ્રાએ કહ્યું હતું કે ‘મને ફોટોગ્રાફીનો શોખ બાળપણથી હતો. એવામાં કૅમેરા હાથમાં આવી ગયો છે. ફોટોગ્રાફી તમારા હાથની વસ્તુ છે. એમાં ઍક્ટિંગ જેવું કશું નથી. ઍક્ટિંગ શીખવી પડે અને લોકો તમને કહે કે આને સારી ઍક્ટિંગ આવડે છે ત્યારે ફાઇનલ થાય પણ ફોટોગ્રાફીમાં એવું નથી. એથી એકાંતના સમયમાં હું જ્યારે આજુબાજુ કોઈ સેલ્ફી લેનારું ન હોય ત્યારે ફોટોગ્રાફી કરું છું. મને કુદરતની સેલ્ફી લેવાનું વધારે ગમે છે.’