આવતા દશેરાએ સંજય લીલા ભણસાલી ને શાહરુખની ફિલ્મો વચ્ચે ફરી થશે ટક્કર
ADVERTISEMENT
સંજય લીલા ભણસાલીએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને ચમકાવતી ‘રામ લીલા’ આવતા વર્ષે દશેરાના સમયગાળામાં રિલીઝ કરવાનું આયોજન કર્યું છે. એ દિવસે શાહરુખ ખાનની રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ પણ રિલીઝ થવાની છે. આવા સંજોગોમાં આવતા વર્ષે દશેરાના દિવસે ‘રામ લીલા’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ વચ્ચે જોરદાર ટક્કર થાય એવી પૂરેપૂરી સંભાવના છે.
આ પહેલાં પણ ૨૦૦૭માં દિવાળી દરમ્યાન સંજય લીલા ભણસાલીની ‘સાંવરિયા’ અને શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ એકસાથે રિલીઝ થતાં તણાવપૂર્ણ માહોલ ઊભો થયો હતો અને ફરી એક વાર આવતા વર્ષે દશેરાના દિવસે આવી પરિસ્થિતિ ઊભી થશે.