Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઈગર શ્રૉફને લઈને ખલનાયકની સીક્વલ બનાવવા માંગે છે સંજય દત્ત

ટાઈગર શ્રૉફને લઈને ખલનાયકની સીક્વલ બનાવવા માંગે છે સંજય દત્ત

22 September, 2019 01:58 PM IST | મુંબઈ

ટાઈગર શ્રૉફને લઈને ખલનાયકની સીક્વલ બનાવવા માંગે છે સંજય દત્ત

ટાઈગર શ્રૉફને લઈને ખલનાયકની સીક્વલ બનાવવા માંગે છે સંજય દત્ત

ટાઈગર શ્રૉફને લઈને ખલનાયકની સીક્વલ બનાવવા માંગે છે સંજય દત્ત


સુભાષ ઘાઈની ફિલ્મ ખલનાયક આજે પણ સુપરહિટ માનવામાં આવે છે. ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં નજર આવ્યા હતા. સાથે માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ મહત્વની ભૂમિકામાં હતા. હવે આ ફિલ્મની સીક્વલની વાત ચાલી રહી છે.

સંજય દત્ત હાલમાં જ એ વાતનો ખુલાસો કર્યો છે કે તેઓ આ ફિલ્મની સીક્વલ બનાવવા માંગે છે અને તેણે ટાઈગર સાથે આ મામલે વાત પણ કરી છે. સંજય દત્તે પોતાની ફિલ્મ પ્રસ્થાનમના પ્રચાર દરમિયાન એક ઈંટરવ્યૂમાં આ વાત કરી.




સંજયે દત્તે કહ્યું કે, હું બીજાનું તો નથી કહી શકતો, પરંતુ અમે ખલનાયકની સીક્વલ બનાવવાનો વિચાર કરી રહ્યા છે અને આ ફિલ્મ અમે સંજય દત્ત ફિલ્મ પ્રોડક્શનના બેનર નીચે બનાવીશું. અમે અત્યારે વાતચીત કરી રહ્યા છે અને ટાઈગરનો સંપર્ક પણ કર્યો છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર બે દિવસમાં દોઢ કરોડનો વેપાર કર્યો છે.

આ ફિલ્મની સાથે સોમન કપૂરની ફિલ્મ ધ ઝોયા ફેક્ટર અને કરણ દેઓલની ફિલ્મ પલ પલ દિલ કે પાસ રિલીઝ થઈ છે.  બૉક્સ ઑફિસ પર હાલ એમ પણ ફિલ્મની હાલત ખરાબ છે. ત્રણમાંથી એક પણ સારી કમાણી નથી કરી શકી.


આ પણ જુઓઃ હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો

ટાઈગર શ્રૉફ જલ્દી જ ફિલ્મ વૉરમાં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે હ્રિતિક રોશન અને વાણી કપૂર મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 01:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK