KGF 2માં અધીરાનું પાત્ર મારું સૌથી ક્રેઝીએસ્ટ પાત્ર: સંજય દત્ત
સંજય દત્ત
સંજય દત્તનું કહેવું છે કે ‘KGF ચૅપ્ટર 2’માં અધીરાનું તેનું પાત્ર સાહસથી ભરેલું છે, જે તેણે કદી પણ નથી ભજવ્યું. આ ફિલ્મમાં તેની સાથે કન્નડ સ્ટાર યશ, રવીના ટંડન, અનંત નાગ અને માલવિકા અવિનાશ પણ જોવા મળશે. પોતાની ભૂમિકા વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘અધીરા એક એવું ક્રેઝીએસ્ટ પાત્ર છે જે મેં અત્યાર સુધી નથી ભજવ્યું. તે નિર્ભય, પાવરફુલ અને નિર્દયી છે. અધીરા બનવા માટે મારે અનેક ફિઝિકલ તૈયારી કરવી પડી હતી. એ લુક માટે દોઢ કલાક મેકઅપ થતો હતો. એ કૅરૅક્ટર માટે પણ મારે ખૂબ તૈયારી કરવી પડી હતી. એ પાત્રમાં ઊંડા ઊતરવા માટે ઘણુંબધું કરવું પડ્યું હતું.’