Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > The Kapil Sharma Show:સંજય દત્તે જેલમાં કમાયેલા પૈસાનું શું કર્યું?

The Kapil Sharma Show:સંજય દત્તે જેલમાં કમાયેલા પૈસાનું શું કર્યું?

06 December, 2019 06:21 PM IST | Mumbai Desk

The Kapil Sharma Show:સંજય દત્તે જેલમાં કમાયેલા પૈસાનું શું કર્યું?

The Kapil Sharma Show:સંજય દત્તે જેલમાં કમાયેલા પૈસાનું શું કર્યું?


સોની ટીવી પર પ્રસારિત થનારા કૉમેડી શૉ ધ કપિલ શર્મા શૉમાં તાજેતરમાં જ બોલીવુડ એક્ટર સંજય દત્ત પહોંચ્યો હતો. શૉમાં સંજય દત્ત પોતાની આગામી ફિલ્મ પાનીપતનું પ્રમોશન કરવા આવ્યો હતો જ્યાં તેણે ફિલ્મની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફ વિશે પણ ઘણી વાતો કરી હતી. સંજયે વાતચીતમાં એ પણ જણાવ્યું કે તેણે જેલમાં કમાયેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો.

સંજય દત્ત ટૂંક સમયમાં જ આશૂતોષ ગોવારિકર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ પાનીપતમાં એક નેગેટિવ પાત્ર ભજવતો દેખાય છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર અને ક્રિતી સેનન પણ મુખ્ય ભૂમિકામાં દેખાય છે. હાલ ફિલ્મના પ્રમોશન ચાલી રહ્યા છે દરમિયાન શૉની સ્ટાર કાસ્ટ અને ડાયરેક્ટર આશૂતોષ ગોવારિકર સોની ટીવીના ધ કપિલ શર્મા શૉમાં પહોંચી હતી.



શૉના હોસ્ટ કપિલ શર્માએ કહ્યું, સર બધાંએ સંજૂ ફિલ્મ જોઇ છે, તેમાં બતાવવામાં આવ્યું છે કે તમે જેલમાં એક રેડિયો પ્રૉગ્રામ કર્યું હતું, ફર્નીચર પણ બનાવતો હતો અને ન્યૂઝ પેપરના કવર પણ બનાવતો હતો, પાજી કેટલી વારમાં તેમ આ બધું શીખી લીધું. આ બાબતે સંજયે કહ્યું કે મને ઘણો સમય લાગ્યો હતો શીખવામાં, ત્યાં કામ કરવું જરૂરી હોય છે જેના પૉઇન્ટ્સ મળે છે.



આગળ કપિલ તેને કહે છે કે ત્યાં બહાનું ન કરી શકો શું, આના જવાબમાં સંજયે કહ્યું કે જો સજા ઘટાડવી હોય તો કામ કરવું પડશે, મને એક પેપર બૅગના 10 પૈસા મળતા હતા. કપિલે જ્યારે સંજય દત્તને પૂછ્યું કે પાજી તમે આ પૈસાનું કરતાં શું હતા જેલમાં તો સંજયે જણાવ્યું કે, "તમને બધાને હું કહેવા માગું છું કે તે પૈસા મેં એકઠા કર્યા જેથી રક્ષાબંધનના દિવસે મારી બહેનોને આપી શકું."

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

સંજયની આ વાત સાંભળીને શૉમાં હાજર દર્શકો પણ ખૂબ જ ભાવુક થઈ જાય છે. કપિલ પણ સંજયના વખાણ કરે છે. જણાવીએ કે ફિલ્મ પાનીપત 6 ડિસેમ્બરના એટલે કે આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ઇતિહાસમાં થયેલી પાણીપતના યુદ્ધના અધારે બનાવવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 06:21 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK