સંજય દત્તને હૉસ્પિટલમાંથી મળી રજા, 8 ઑગસ્ટે થયા હતા દાખલ
શાદાબ ખાન
ફિલ્મ અભિનેતા સંજય દત્ત(Sanjay dutt)ને સોમવારે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમને 8 ઑગસ્ટના શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોવાને કારણે લીલાવતી હૉસ્પિટલ(Lilavati Hospital)માં દાખલ કરાવવામાં આવ્યા હતા. જેના પછી ત્યાં તેમનો કોવિડ-19 ટેસ્ટ(Covid-19 Test) કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
આના એક દિવસ પહેલા એટલે કે રકવિવારે સંજય દત્તના નજીકના મિત્ર અને ફિલ્મ ડાયરેક્ટર અજય અરોરા ઉર્ફે બિટ્ટુએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "સંજૂને કોઇ મોટી મુશ્કેલી નથી. હવામાનમાં આવેલી ફેરફારને કારણે તેમને થોડીક તકલીફ થઈ. હૉસ્પિટલમાં એડમિટ થયા પછી તેમણે વિચાર્યું કે અન્ય ટેસ્ટ પણ કરાવી લેવામાં આવે. જો કે તેમણે કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો, જે નેગેટિવ આવ્યો છે."
ADVERTISEMENT
Actor Sanjay Dutt (in file pic) who was admitted to Lilavati Hospital on August 8 after he complained of breathlessness has been discharged: Lilavati Hospital, Mumbai
— ANI (@ANI) August 10, 2020
He announced on August 8 that his #COVID19 report was negative pic.twitter.com/jxSlBANOZ5
મુંબઇમાં હાલ એકલા છે સંજુ બાબા
સંજય દત્ત મુંબઇમાં એકલા જ રહે છે. તેમની પત્ની માન્યતા અને બન્ને બાળકો ઇકરા અને શાહરાન માર્ચમાં લૉકડાઉન લાગ્યા પછીથી દુબઈમાં જ છે. જો કે, ફોન કૉલ અને ઓનલાઇન વીડિયો કૉલિંગ દ્વારા તે સતત તેમના સંપર્કમાં છે.
પહેલો કોરોના ટેસ્ટ નેગેટિવ
શનિવારે જ્યારે સંજય દત્ત હૉસ્પિટલ પહોંચ્યા તો તેમનો કોરોના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ આરટી પીસીઆર માટે તેમણે સ્વાબ ટેસ્ટ પણ કરાવ્યો હતો. તેમને આઇસીયૂના નૉન કોવિડ વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે તે હૉસ્પિટલ પહોંચ્યા, તો તેમનું ઑક્સિજન લેવલ ઓછું હચું અને તેમને બેચેની થઈ રહી હતી.
Just wanted to assure everyone that I’m doing well. I’m currently under medical observation & my COVID-19 report is negative. With the help & care of the doctors, nurses & staff at Lilavati hospital, I should be home in a day or two. Thank you for your well wishes & blessings ?
— Sanjay Dutt (@duttsanjay) August 8, 2020
સંજૂએ ટ્વિટર પર આપી હતી હેલ્થ અપડેટ
સંજય દત્તે તે જ રાતે ટ્વિટર પર પોતાના હેલ્થ વિશે માહિતી આપતા લખ્યં હતું કે, "હું બધાને એ જણાવવા માગું છું કે હું સ્વસ્થ છું. હાલ મેડિકલ ઑબ્ઝરવેશનમાં છું અને મારો કોવિડ-19 રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘર પાછો જઈ શકીશ. તમારા બધાંની શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે તમારો ખરેખર આભારી છું."