Sandeep Aur Pinky Faraar ટ્રેલર: અર્જુન અને પરિણીતીની જોડી મચાવશે ધમાલ
'સંદીપ ઔર પિંન્કી ફરાર'નું પોસ્ટર
અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા સ્ટારર ફિલ્મ 'સંદીપ ઔર પિંન્કી ફરાર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિબાકર બેનર્જીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મની જાહેરાત બે વર્ષ પહેલા થઈ ગઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત થઈ ગયો છે. લાંબા સમય બાદ આ ફિલ્મ 20 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. 2 મિનિટ 27 સેકન્ડના આ ટ્રેલરમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા કમાલ કરતા નજર આવી રહ્યા છે.
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા ડાર્ક ક્રાઈમ થ્રિલરની જેમ છે. જેમા એક પોલીસ ઑફિસર એક ઑપરેશન હેઠળ મુખ્ય પાત્રને મારવાની કોશિશ કરે છે. એમાં પોલીસવાળો પાત્ર અર્જુન કપૂર ભજવી રહ્યા છે, જેનું ફિલ્મમાં નામ પિન્કી ફરાર છે. જ્યાં સંદીપ કૌરની ભૂમિકા પરિણીતી ચોપડા ભજવી રહી છે. સંદીપ કૌર એ જ પાત્ર છે, જેને મારવાનો ષડયંત્ર પોલીસવાળા રચી રહ્યા છે.
ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ ઘણી રસપ્રદ છે. એમાં પંકજ ત્રિપાઠી, જયદીપ અહલાવત, અર્ચના પૂરન સિંહ અને સંજય મિશ્રા મહત્વની ભૂમિકામાં છે. જયદીપ અહલાવત એકવાર ફરીથી વિલનના પાત્રમાં જોવા મળશે. ટ્રેલરમાં પણ જયદીપના પાત્રને ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. જયદીપ આની પહેલા કમાન્ડો અને ખટ્ટા-મીઠામાં વિલનનું પાત્ર ભજવી ચૂક્યા છે.
હકીકત છે કે આ ફિલ્મની ઘોષણા થઈને લાંબો સમય થઈ ગયો છે. સમાચાર મુજબ ફિલ્મ એક વર્ષ પહેલા તૈયાર થઈ ગઈ હતી, પરંતુ પ્રોડ્યૂસર આદિત્ય ચોપડાને આની એડિટિંગ પસંદ નહોતી આવી. એવામાં ફિલ્મ રિલીઝ થવામાં લંબાઈ ગઈ.
ત્યાં જો પરિણીતી ચોપડા અને અર્જુન કપૂરની વાત કરીએ તો, બન્ને ત્રીજીવાર એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. આની પહેલા બન્ને 'ઇશ્કઝાદે' અને 'નમસ્તે લંડન'માં એકસાથે જોવા મળ્યા હતા. જોકે 'ઇશ્કઝાદે' દર્શકોને વધારે પસંદ આવી હતી. જણાવી દઈએ કે 'ઇશ્કઝાદે'ના સાથે અર્જુન કપૂરે અભિનેતા તરીકે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.