Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમીર સોનીને તેની NRIની ઇમૅજમાંથી બહાર નીકળવું છે

સમીર સોનીને તેની NRIની ઇમૅજમાંથી બહાર નીકળવું છે

12 May, 2019 12:35 PM IST | મુંબઈ

સમીર સોનીને તેની NRIની ઇમૅજમાંથી બહાર નીકળવું છે

સમીર સોની

સમીર સોની


સમીર સોનીનું કહેવું છે કે તે એનઆરઆઇનાં પાત્રો ભજવીને કંટાળી ગયો હોવાથી એનાથી છુટકારો મેળવવો છે. સમીર અમેરિકાથી આવ્યો હતો. તેણે અનેક ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યું છે. ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તન પર સમીરે કહ્યું હતું કે ‘શરૂઆતના સમયમાં કંઈ ખાસ કૅરૅક્ટર રોલ્સ નહોતા લખવામાં આવતા અને તેને એટલું મહત્ત્વ નહોતું આપવામાં આવતું. સમયની સાથે એમાં બદલાવ આવ્યો છે. હું જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે હું એક એનઆરઆઇ હતો. ‘ફૅશન’માં મેં ભજવેલા નેગેટિવ રોલ જેવા રોલ મને આપવામાં નહોતા આવતા. મને માત્ર એનઆરઆઇ જેવા રોલ્સ જ આપવામાં આવતા હતા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો : અનુપમ ખેર મારા ગુરુ છે : ઈશા ગુપ્તા



કૅરૅક્ટર રોલ્સને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. હું હવે મારી એ એનઆરઆઇની ઇમેજમાંથી બહાર આવવા માગું છું. હું જ્યારે યુએસથી ભારત આવ્યો ત્યારે મારી જે એનઆરઆઇની છબી હતી એમાંથી મારે બહાર નીકળવું છે. હું એવો રોલ કરવા માગું છું જે મેં ‘પંચ બીટ’માં ભજવ્યો હતો જે નેગેટિવ, સ્ટ્રૉન્ગ અને ગુસ્સાથી ભરેલું પાત્ર હતું.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 12:35 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK