'ભારત'ની ટિકિટના ભાવ નહીં વધે, ચાહકોનો વધ્યો ઉત્સાહ
ભારત
સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારત 5 જૂને એટલે કે ઇદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ઈદના દિવસે રિલીઝ થતી હોવાને કારણે સલમાન ખાનના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સાહિત છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચુક્યુ છે. ત્યારે ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થતી હોવા છતાંય ભારતની ટિકિટના ભાવ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે મોટી ફિલ્મો રિલીઝ થાય ત્યારે ટિકિટના ભાવ વધી જતા હોય છે.
જેમ કે એવેન્જર્સ એન્ડ ગેમ રિલીઝ થઈ ત્યારે તેની ટિકિટના ભાવ કલ્પી ન શકાય તેટલા વધારે હતા. પરંતુ ભારતની રિલીઝ સમયે કલેક્શન વધારવા આ નિર્ણય નથી લેવાયો. 'ભારત'ની ટિકિટોની કિંમત ભારતમાં વેચાતી એવેન્જર્સની ટિકિટોની કિંમત કરતા ઘણી ઓછી છે. એટલું જ નહીં ચાહકોમાં એડવાન્સ બુકિંગની હોડ લાગી છે. એવામાં સલમાનની ઇદ પર રિલીઝ થતી ફિલ્મ 'ભારત'ની સૌ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
ADVERTISEMENT
સુલ્તાન અને ટાઇગર ઝિન્દા હૈની સફળતા બાદ ફરી એકવાર નિર્દેશક અલી અબ્બાસ ઝફર સાથે વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ આવી રહી છે, ત્યારે આ ફિલ્મના તેમ જ સલમાન ખાનના ચાહકો માટે ખુશીની વાત એ છે કે અન્ય સિંગલ સ્ક્રીન ફિલ્મની ટિકિટ જેટલી જ કિંમત સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતની ટિકિટોની રહેશે. ફિલ્મ રિલીઝ ભલે ઈદ જેવા મોટા દિવસે થાય છે તેમ જ બિગ રિલીઝ હોવા છતાં ફિલ્મની ટિકિટના ભાવ વધારવામાં આવ્યા નથી.
આ પણ વાંચો : જ્યારે કેટરીના પર જ રોકાઈ ગઈ સલમાન ખાનની નજર
આજથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. અને મલ્ટીપ્લેક્સ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે ટિકિટ્સ બુક કરવા માટે ચાહકોમાં ટિકિટ ખરીદવાની હોડ લાગી છે. ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચતો જોવા મળે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના જુદા જુદા લૂક્સ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ 5 જૂને રિલીઝ થઇ રહી છે.