આજે હું જે પણ છું એ મારી લાઇફમાં બનેલી ઘટનાઓને કારણે છું: સલમાન ખાન
સલમાન ખાન (File Photo)
સલમાન ખાનનું કહેવું છે કે તે આજે જેકાંઈ છે એ તેની લાઇફમાં જેકાંઈ બન્યું એના કારણે જ છે. સલમાન સાથે વિવાદ હંમેશાં સંકળાયેલો રહ્યો છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેની લાઇફમાં કોઈ એવુ ચૅપ્ટર છે જેને તે હંમેશાં માટે ભૂંસી નાખવા માગતો હોય. આનો જવાબ આપતાં સલમાને કહ્યું હતું, ‘આ સવાલ મારા માટે અઘરો છે. મારી લાઇફનાં દરેક ચૅપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે. હું તો એમ માનું છું કે જો અમુક ઘટનાઓ ના ઘટી હોત તો હું આજે અહીં સુધી પહોંચી શક્યો ન હોત. મારી લાઇફમાં જેકાંઈ બન્યું એના કારણે જ હું આજે આ જગ્યાએ છું.’
આ પણ વાંચોઃ સલમાન ખાને 'હમ દિલ દે ચૂકે સનમનો' ફોટો શૅર કરી કહ્યું...
ADVERTISEMENT
સલમાનની ‘ભારત’ ઈદ વખતે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ૨૦ વર્ષથી માંડીને ૭૦ વર્ષના વૃદ્ધનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં કામ કરવુ અઘરું છે એવું જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘આ ફિલ્મ ‘સલતાન’ કરતાં પણ અઘરી છે, કારણ કે ‘સુલતાન’માં મારે વજન વધારવાનું અને ઘટાડવાનું હતું. હું ફિલ્મનું શૂટિંગ કરતો હતો અને બાદમાં જિમમાં જતો હતો. ‘ભારત’માં પણ એવું જ છે. એમાં મને યુવાન દેખાવા માટે વજન ઘટાડવાનું હતું. જોકે જ્યારે હું વૃદ્ધનું પાત્ર ભજવતો ત્યારે મારે વજન વધારવાનું હતું.’