Radhe Vs Laxmmi Bomb: ક્લેશ બાબતે સલમાને કહ્યું ઇદ ફક્ત મારો અધિકાર નથી
આવતાં વર્ષે ઘણી મોટી ફિલ્મોની બૉક્સ ઑફિસ પર ટક્કર થવાની છે. આ ટક્કરને લઈને ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઉત્સુકતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવું પહેલી વાર થઇ રહ્યું છે જ્યારે ઇદ પર સલમાન ખાન સામે કોઇ બીજા મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. પણ, સલમાન ખાન અને અક્ષય કુમાર, બન્નેએ આ ક્લેશથી પ્રભાવિત થતાં દેખાતાં નથી.
બોલીવુડ હંગામા વેબસાઇટ પ્રમાણે, સલમાન ખાને તાજેતરમાં જ આ ટક્કરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે તેની ફિલ્મો ગણતંત્ર દિવસ, ક્રિસમસ, દિવાળી, રમઝાન અને ઇદ પર રિલીઝ થતી રહે છે. તેથી ઇદ પર ફક્ત તેનો અધિકાર નથી. આ નિર્ણય દર્શકોનો હોય છે કે કઈ ફિલ્મ પર તેમને પોતાના પૈસા ખર્ચ કરવા છે. જો તેમને કોઇ ફિલ્મ પસંદ આવે છે તો તે આ જોશે, નહીં તો નહીં...તેણે કહ્યું કે આથી કોઇ જ ફરક નથી પડતો કે તહેવાર પર રિલીઝ થઇ રહી છે કે નહીં.
ADVERTISEMENT
રાધે કથિત રૂપે કોરિયલ ફિલ્મ ધ આઉટલૉઝની રીમેક છે, જે 2017માં રિલીઝ થઈ હતી. રાધેનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યો છે. આ પહેલા પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી દબંગ 3 રિલીઝ થશે. સલમાન અને પ્રભુદેવા પહેલી વાર વૉન્ટેડ દ્વારા સાથે આવ્યા, જે 2009માં રિલીઝ થઈ હતી. આ પણ એક સંજોગ છે કે 2020ની ઇદ પર રિલીઝ થતી અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બના નિર્દેશક રાઘવ લૉરેંસ પણ પ્રભુદેવાની જેમ દક્ષિણ ભારતથી છે. લક્ષ્મી બૉમ્બ તેની જ ફિલ્મ કાંચનાની રીમેક છે.
સલમાન સાથે ટક્કર પર શુ છે અક્ષય કુમારના રિએક્શન
સલમાન ખાનની જેમ અક્ષય કુમારે પણ થોડાંક દિવસ પહેલા આ ટક્કરને લઈને પોતાની વાત મૂકી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, અક્ષય સામે જ્યારે આ સવાલ આવ્યો કે આવતાં વર્ષે તે ઇદ પર સલમાનની સામે હશે, તો અક્ષયે કહ્યું કે, પહેલા હું આવ્યો છું, પણ કોઇપણ આવી શકે છે, આમાં કંઇ ખોટું નથી. ઇદનો દિવસ છે, બે ફિલ્મો સાથે આવી શકે છે, કેમ નથી આવી શકતી સાથે? અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશન્સમાં વ્યસ્ત છે,જે 27 ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો
રાજ મેહતા નિર્દેશિત ફિલ્મમાં કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય પાત્રોમાં સામેલ છે. ફિલ્મ સ્પર્મ બદલાઇ જવાના નવા વિષય પર આધારિત છે. તો, સલમાન ખાનની 'દબંગ 3' 20 ડિસેમ્બરના રિલીઝ થવાની છે.