સલમાન ખાનને શુક્રવારે કોર્ટમાં થવું પડશે રજૂ, નહીં તો જામીન થઈ જશે રદ્દ
કાળિયાર શિકાર કેસની શુક્રવારે સુનાવણી...
કાળિયારના શિકાર મામલામાં જોધપુરની અદાલતે સલમાન ખાનને કોર્ટમાં રજૂ થવાનો આદેશ છે. આ મામલે 2018માં અદાલતે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાન આ કેસમાં જામીન પર બહાર છે. જાણકારી પ્રમાણે કોર્ટે સલમાન ખાનને 27 સપ્ટેમ્બરે રજૂ થવાનું છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તે કોર્ટમાં નહીં આવે તો તેના જામીન રદ્દ કરવામાં આવશે.
આ પણ જુઓઃ Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ
ADVERTISEMENT
આ પહેલા આ વર્ષે જુલાઈમાં જોધપુર કોર્ટે અદાલતમાં હાજર ન રહેવા બદલ સલમાન ખાનને ચેતવણી આપી હતી. રિપોર્ટ પ્રમાણે ન્યાયાધીશ ચંદ્ર કુમારે સલમાન ખાનના વકીલને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેઓ ધ્યાન રાખે કે 3 જુલાઈની સુનાવણી દરમિયાન સલમાન હાજર રહે. પરંતુ સલમાન અદાલત સામે હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા. જે પર અદાલતે નારાજગી પણ વ્યક્ત કરી હતી.