આમિરના પ્રયત્નો પછી પણ શાહરુખ સાથે સુલેહ કરવા સલમાન તૈયાર નથી
ADVERTISEMENT
શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચને તેમની માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર એક સંદેશો લખીને હિન્ટ આપી હતી કે કિંગ ખાન તેના સૌથી મોટા દુશ્મન સલમાન ખાન સાથે સુલેહ કરી લે એવી શક્યતા છે, પણ હકીકતમાં સલ્લુને તેની સાથે પૅચ-અપ કરવામાં કોઈ રસ નથી.
સ્વર્ગીય યશ ચોપડાની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં નજરે જોનારી એક વ્યક્તિનું કહેવું છે કે ‘આમિર ખાને પ્રયત્ન કર્યો હતો કે શાહરુખ અને સલમાન વચ્ચે ચાલી આવતી લાંબા સમયની દુશ્મનાવટનો હવે અંત આવે. શાહરુખ અને સલમાન પણ આમનેસામને આવ્યા ત્યારે ખૂબ સારી રીતે વત્ર્યા હતા. એ જોઈને આમિરને લાગ્યું હતું કે બન્ને વચ્ચે પૅચ-અપ કરાવવાની આ સારી તક છે. જોકે સલમાન પૅચ-અપના મૂડમાં નહોતો એટલે તેણે કિંગ ખાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીતમાં ઊતરવાનું ટાળ્યું હતું.’
બીજી તરફ સલમાને અમિતાભ બચ્ચન સાથે ખૂબ જ નમ્રતા અને મિત્રતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો. તે બિગ બી સાથે વાતો અને મજાક કરતો જોવા મળ્યો હતો. સલ્લુએ બિગ બી માટે ખૂબ જ રિસ્પેક્ટ વ્યક્ત કર્યું હતું અને તેઓ જવા માટે નીકળ્યાં ત્યારે તેમને દરવાજા સુધી મૂકવા આવવાની કર્ટ્સી પણ દાખવી હતી.
આ વાત ડિરેક્ટર રોહિત શેટ્ટીની બહેન મહેકનાં લગ્નમાં આગળ વધી હતી અને અભિષેક બચ્ચન સાથે પણ સલમાન વાતચીત કરતો દેખાયો હતો.
આ બધું જોઈને મોટા ભાગના લોકોને એવું લાગતું હોય કે બૉલીવુડમાં પૅચ-અપની મોસમ આવી ગઈ છે તો હજી કદાચ શાહરુખ-સલમાન પણ ભેગા થાય એ માટે થોડી રાહ જોવી પડશે. લાગે છે કે સલ્લુ અત્યારે તો બચ્ચનપરિવાર સાથે સંબંધ સુધારવા માગે છે
અને કિંગ ખાનનો વારો થોડા વખત પછી આવશે.