દિલીપકુમારના 98મા જન્મદિવસે મોટી ઉજવણીનો કોઈ સવાલ જ નથીઃ સાયરાબાનુ
તસવીર સૌજન્યઃ ટ્વીટર
છેલ્લે માર્ચમાં લોકડાઉન જાહેર કરાયો એ પછી દિલીપકુમાર અને સાયરાબાનુ તેમના બાન્દ્રા ખાતેના બંગલોમાં એકાંતમાં રહે છે. સાયરાબાનુ પ્રસંગોપાત દંતકથારૂપ અભિનયસમ્રાટ દિલીપકુમારની તસવીરોની ઝલકો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે કહે છે કે લોકડાઉનથી અમારી જિંદગીમાં ભાગ્યે જ કંઈ ફરક પડ્યો છે.
તેમના લગ્નજીવનને 54 વર્ષ થયાં તેમ છતાં તેઓ બહારની દુનિયાના અવાજોથી અલિપ્ત છે. મારા માટે આમાં કશું નવું નથી, કારણકે મહામારી પૂર્વેથી મને તો બહાર જવાને બદલે ઘરે રહેવું વધુ ગમે છે. એવું જ દિલીપ સાહેબનું છે પહેલાં તેમને ટ્રાવેલિંગ બહુ ગમતું હવે તેમને પણ ઉંમરને કારણે બહાર જવાનું ગમતું નથી.
ADVERTISEMENT
પ્રત્યેક વર્ષે સાયરાબાનુ કુટુંબમાં કુમારનો બર્થડે ઊજવે છે અને તેમને સોશિયલ મીડિયા અને બોલીવૂડમાંથી ઢગલો શુભેચ્છાઓ મળે છે. આવતી કાલે દિલીપકુમારનો 98મો બર્થડે છે ત્યારે કશી ઉજવણી આ વર્ષે થવાની નથી. આ વર્ષે અમે આઘાતમાં છીએ. દિલીપ સાહેબે તેમના બે ભાઈઓ (એહસાન અને અસ્લમ ખાનને) કોરોનામાં ગુમાવ્યા છે. તેમની તબિયત સારી નથી તેમ જ મારી પણ કંઈ ઠીક નથી. અમારા માટે આ કપરો સમય છે. અમે ભગવાનનો આભાર માનીએ છીએ કે અમને જીવન અને આરોગ્યની ભેટ આપી છે.
દિલીપકુમાર હાલ કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે એ બાબતે સાયરાબાનુએ કહ્યું કે, દિલીપ સાહેબ સ્પોર્ટ્સના ફૅન છે. ટીવીમાં તે સ્પોર્ટ્સ ચેનલ જુએ છે. તેમને ક્લાસિકલ મ્યુઝીક પણ પસંદ છે, જે સાંભળીને તે સમય પસાર કરે છે.