Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

14 May, 2019 08:52 PM IST | મુંબઈ

હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન


ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાને અરબાઝ ખાન સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેઓ રાષ્ટ્રીય પુરસ્કાર પામવાના હકદાર નથી અને તે આ સન્માન ભારત સરકારને પાછું આપવા માંગે છે. આ મામલે તેમણે કહ્યું કે તેમણે પદ્મશ્રી જેવું સન્માન ખરીદ્યુ નથી કારણ કે પદ્મશ્રી ખરીદવું કોઈના પણ માટે સંભવ નથી. તે ખૂબ જ મોંઘું હશે. એનો સીધો અર્થ ભારત સરકારને લાંચ આપવી એવો થશે. જેની તેની હેસિયત નથી.

આ પણ વાંચોઃ અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝમાં જોવા મળશે સૈફ અલી ખાન ?



સૈફ અલી ખાને એવું પણ કહ્યું કે પદ્મશ્રી સન્માન તેમણે નહોતું લેવું જોઈતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા લોકો છે, જેઓ આ સન્માન પામવાના હકદાર છે. સૈફ અલી ખાન કહે છે કે પદ્મ શ્રી પુરસ્કાર તેમનાથી પણ સીનિયર એવા અનેક કલાકારોને નથી મળ્યો. સૈફ અલીખાને એવું પણ કહ્યું કે એ તેમના માટે શરમની વાત છે કે આ સન્માન કેટલાક એવા લોકોને પણ મળ્યું છે જે તેમનાથી ઓછા સક્ષમ છે. સાથે જ હવે તેઓ આ પુરસ્કાર ભારત સરકારને પાછો આપવા માંગે છે. જ્યારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે તું એ સ્થિતિમાં નથી કે તું આ સન્માનને ના પાડી શકે. જે બાદ તેમણે આ પુરસ્કાર સ્વીકાર્યો.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 08:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK