શર્મિલા ટાગોરની કઈ વાતથી ડરી ગયો છે સૈફ અલી ખાન?
સૈફ અલી ખાન
સૈફ અલી ખાનને હાલમાં તેની મમ્મી શર્મિલા ટાગોરે કહેલી વાતથી ડર લાગવા માંડ્યો છે. દેશમાં લૉકડાઉનને કારણે લોકો એકબીજાને મળી શકતા નથી. માત્ર ફોન પર જ વાતો કરી શકે છે એવામાં સૈફ, કરીના કપૂર ખાન અને તૈમુર મુંબઈના ઘરમાં છે; તો બીજી તરફ સૈફની મમ્મી શર્મિલા ટાગોર દિલ્હીમાં છે. જોકે તેમનું ધ્યાન રાખવા માટે સૈફની બીજી બહેન સબા ત્યાં હાજર છે છતાં મમ્મીની વાત સાંભળીને સૈફ ચિંતિત છે. એ વિશે સૈફે કહ્યું કે ‘હું મારી મમ્મીની ચિંતા કરું છું. જોકે તે અચાનક સમજદારીભરી વાતો કરવા લાગી છે. તેણે કહ્યું હતું કે મેં આખી જિંદગી જીવી લીધી છે અને મને કોઈ પણ વાતનો પસ્તાવો નથી. આવી વાતો ખરેખર સાંભળવી ડરામણી લાગે છે. તેને એમ લાગે છે કે આવું થવાનું હતું એની અમને પહેલેથી જાણ હતી અને અમે તેને આ વાતની જાણ ન કરી. હાલમાં તો હું મારી બીજી બહેન સોહાને પણ જોઈ નથી શકતો. જોકે અમે એકબીજા સાથે ફોન પર વાતો કરીએ છીએ. તમે જ્યારે દરિયાની મુસાફરી કરો છો ત્યારે તમારો બધા સાથે સંપર્ક તૂટી જાય છે. એવી સ્થિતિમાં તમે માત્ર દૂરથી જમીનને જોઈ શકો છો, પરંતુ આસપાસ ફેલાયેલા પાણીનું સામ્રાજ્ય તમને એનાથી અલગ કરી દે છે.’