Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોકિલા શું કામ સોશ્યલ મીડિયા પર આવતી નથી?

કોકિલા શું કામ સોશ્યલ મીડિયા પર આવતી નથી?

23 October, 2020 03:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોકિલા શું કામ સોશ્યલ મીડિયા પર આવતી નથી?

રૂપલ પટેલ

રૂપલ પટેલ


૧૦ વર્ષે સ્ટાર પ્લસ પર આવેલી ‘સાથ નિભાના સાથિયા’ની સેકન્ડ સીઝનમાં કોકિલા મોદીનું કૅરૅક્ટર કરનાર રૂપલ પટેલના લાખો-કરોડો ફૅન્સ છે અને એ પછી પણ તેની સોશ્યલ મીડિયા પર કોઈ હાજરી નથી.

કોકિલાનું કૅરૅક્ટર નિભાવતી રૂપલ પટેલે આ બાબતમાં ફોડ પાડતાં કહ્યું હતું કે ‘હું આખો દિવસ સેટ પર હોઉં, કામ કરતી હોઉં અને એ પછી ઘરે જાઉં



ત્યારે મારે ફૅમિલીને ટાઇમ આપવો જોઈએ એવું મને લાગે છે. મને સોશ્યલ મીડિયા થકી ફૅન્સ સાથે કનેક્ટ રહેવાનું ગમે પણ ફૅમિલી પહેલાં છે એ વાત પણ સૌકોઈએ સમજવી જોઈએ એવું પણ મને લાગે છે.’


રૂપલ પટેલે કહ્યું કે ‘તમે તમારા કામને લીધે ઓળખાતા હો છો. કામને પૂરતો ન્યાય આપો અને કામ બેસ્ટ રીતે કરો તો એ પછી બીજી કોઈ આવશ્યકતા રહેતી નથી એવું મારું માનવું છે. આખો દિવસ સેટ પર હોઈએ, એ પછી ફૅમિલી પ્રત્યેની જવાબદારીને પ્રાધાન્ય સૌએ આપવું જોઈએ એવું મને લાગે છે અને એનું જ પાલન હું કરું છું. સોશ્યલ મીડિયા પર નહીં હોવાને લીધે કેટલાક મને ઓલ્ડ સ્કૂલ પણ માને છે, પણ મને એનો કોઈ ફરક નથી પડતો. મારા માટે મારું કામ અને મારું ફૅમિલી જ પ્રથમ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2020 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK