Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રુશિનાએ નવા વર્ષે કેમ કોઈને વિશ ન કર્યું?

રુશિનાએ નવા વર્ષે કેમ કોઈને વિશ ન કર્યું?

07 January, 2021 04:53 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

રુશિનાએ નવા વર્ષે કેમ કોઈને વિશ ન કર્યું?

રુશિના કંધારી

રુશિના કંધારી


દંગલ ચૅનલના શો ‘એ મેરે હમસફર’માં ઇમરતીના રોલમાં જોવા મળતી રુશિના કંધારીને સામાન્ય રીતે પાર્ટીઓ ગમતી હોય છે, પણ આ વર્ષે તેણે નવા વર્ષની પાર્ટી કરવાને બદલે કે પછી ઘરે બધા ફ્રેન્ડ્સને બોલાવવાને બદલે સાવ જુદી જ રીતે ૨૦૨૧ના આગમનને વધાવ્યું. રુશિષિના ક્રિસમસ પર પગોડા ગઈ અને વિપશ્યનામાં રહીને આવી. રુશિના કહે છે, ‘ફૅમિલી સાથે પહેલાં નેચરોપથી સેન્ટરમાં ગઈ અને એ પછી મેં માત્ર જાત સાથે રહેવાના હેતુથી વિપશ્યનામાં જવાનું નક્કી કર્યું. આ મારો એકદમ જુદા જ પ્રકારનો અનુભવ હતો. આધ્યાત્મિક, ભાવનાત્મક અને શારીરિક એમ ત્રણ રીતે હું એનર્જી લઈને હવે આવી છું. વિપશ્યના દરમ્યાન મેં અનેક સવાલ મારી જાતને પૂછ્યા તો સાથોસાથ વિપશ્યનામાં મેં એ સવાલના જવાબો મેળવવાની કોશિશ પણ કરી. આપણે શું કરીએ છીએ અને શું એ કરવું આપણને ગમે છે કે નહીં એ બે સવાલ સૌથી મહત્ત્વના છે, જે આપણે આપણી જાતને અમુક સમયાંતરે પૂછતા રહેવા જોઈએ.’

રુશિના કંધારી પગોડામાં વિપશ્યના દરમ્યાન મોબાઇલ પણ સાથે લઈ નહોતી ગઈ, જેને લીધે નવા વર્ષની બેસ્ટ વિશીઝ ન તો તેણે કોઈને આપી કે ન તો તે કોઈની બેસ્ટ વિશીઝ લઈ પણ શકી.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 04:53 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK