Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાલે ભારત પાછા ફરશે ઋષિ કપૂર, અનુપમ ખેરે કરી ભાવુક પોસ્ટ

કાલે ભારત પાછા ફરશે ઋષિ કપૂર, અનુપમ ખેરે કરી ભાવુક પોસ્ટ

09 September, 2019 07:04 PM IST | મુંબઈ ડેસ્ક

કાલે ભારત પાછા ફરશે ઋષિ કપૂર, અનુપમ ખેરે કરી ભાવુક પોસ્ટ

ઋષિ કપૂર

ઋષિ કપૂર


છેલ્લા 1 વર્ષથી ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવતા ઋષિ કપૂર હવે ભારત પરત ફરી રહ્યા છે. ઋષિ કપૂર મંગળવારે ભારત પરત ફરી રહ્યા છે. ઋષિ કપૂરના ચાહકો તેમના ભારત આવવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તો હવે તેમની આ રાહ જોવાનો સિલસિલો પૂરો થવાનો છે. સૂત્રો પ્રમાણે ઋષિ કપૂર પત્ની નીતૂ કપૂર સાથે ન્યૂયોર્કથી રવાના થઈ ગયા છે અને કાલે કોઈપણ સમયે પાછા ભારત આવી શકે છે.

આ પ્રસંગે તેમના મિત્ર અનુપમ ખેરે તેમને શભેચ્છાઓ આપી છે. અનુપમે ટ્વીટ કરીને બન્નેને શુભેચ્છાઓ આપતાં લખ્યું, મારા સૌથી પ્રિય નીતૂ કપૂર અને ઋષિ કપૂર!! ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ રહ્યા પછી પાછા ભારત આવી રહ્યા છે. હું તમારા સુરક્ષિત પ્રવાસની પ્રાર્થના કરું છું. મારા મનમાં ઘણા બધાં ખ્યાલ ચાલી રહ્યા છે. હું ખૂબ જ ખુશ છું અને દુઃખી પણ. હું તમને ખૂબ જ મિસ કરવાનો છું. અમારી સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો. ઘણો બધો પ્રેમ અને પ્રાર્થના.




આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની


જણાવીએ કે એક વર્ષ કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન ઋષિને મળવા બોલીવુડના અનેક સિતારાઓ પહોંચ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, શાહરુખ ખાન, વિકી કૌશલ, રિતેશ દેશમુખ, જેનિલિયા ડિસૂઝા સહિત અનેક સ્ટાર્સે ન્યૂયોર્ક જઇને ઋષિ કપૂરની તબિયત વિશે માહિતી મેળવી હતી. તાજેતરમાં જ અભિનેતાએ પોતાનો 67મો જન્મદિવસ ઉજવ્યો છે. તેમણે પોતાનો જન્મદિવસ પણ ન્યૂયોર્કમાં જ સેલિબ્રેટ કર્યો.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 07:04 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK