કોઈ પણ વસ્તુનો પસ્તાવો કરવો એકદમ નકામો છેઃ રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢાનું કહેવું છે કે કોઈ પણ વસ્તુનો પસ્તાવો કરવો નકામો છે. અલી ફઝલ સાથેનાં તેનાં રિલેશન ખૂબ ચર્ચામાં છે. તેમનાં લગ્નની વાતો પણ સતત ચાલતી રહે છે. તેણે ‘મસાન’, ‘ફુકરે’ અને ‘સેક્શન 375’માં કામ કર્યું છે. પસ્તાવા વિશે પોતાના વિચાર જણાવતાં રિચાએ કહ્યું કે ‘મને કોઈ વાતનો પસ્તાવો નથી. પસ્તાવો કરવાનો કોઈ અર્થ પણ નથી. એવુ કંઈ નથી જે તમે ન કરી શકો. જો તમે કોઈ ખરાબ નિર્ણય લીધો હોય અથવા તો કોઈ નિષ્ફળ ફિલ્મ કરી હોય તો એનો અર્થ એ નથી કે તમે પોતાની જાતને નુકસાન પહોંચાડવા માટે આવું કર્યું છે. મારા કેસમાં કહું તો હું કોઈને પણ ઓળખતી નહોતી. ઇન્ડસ્ટ્રીમાં મારા કોઈ સલાહકાર કે કોઈ ફ્રેન્ડ્સ પણ નહોતા.’