પ્રૉબ્લેમ સૉલ્વ: રીમ શેખ તુઝસે હૈ રાબ્તા નહીં છોડે
રીમ શેખ
ઝીટીવીના શો ‘તુઝસે હૈ રાબ્તા’ના ચાહકો માટે ફરી પાછો ખુશ થવાનો વારો આવ્યો છે. તાજેતરમાં શોની લીડ અભિનેત્રી રીમ શેખે શો છોડવાની જાહેરાત કરી હતી જેથી ફૅન્સને આંચકો લાગ્યો હતો. શોમાં એક મોટો લીપ આવવાનો હતો જે રીમને ગમ્યું નહોતું. રીમ અને તેના પિતાએ રીમ શો છોડવાની છે એ સમાચારને સમર્થન આપ્યું હતું, પણ બધું ઓકે થઈ ગયું છે અને હવે રીમ આ શો નહીં છોડે.
શોની ક્રીએટિવ ટીમે રીમ સાથે વાતચીત કર્યા બાદ રીમ આ શોનો ભાગ બની રહેશે એવું નક્કી થયું છે. રીમની લોકપ્રિયતા જોઈને કદાચ નિર્માતાઓએ તેની સાથે વાટાઘાટ કરવાનું નક્કી કર્યું હશે. રીમે કહ્યું કે ‘કલ્યાણીનું પાત્ર મારા દિલની બહુ નજીક છે અને આગળના ટ્રૅક મુજબ મારા પાત્રનું નેરેટિવ બહુ મજબૂત બનવા જઈ રહ્યું છે એથી મેં આ રોલ કન્ટિન્યુ કરવાનું નક્કી કર્યું છે. ચાહકો પણ આવનારા ટ્વિસ્ટથી દંગ રહી જશે.’