હસીના નહીં બને રાની મુખરજી
પણ હાલમાં આ વાતને રદિયો આપતાં અપૂર્વે જણાવ્યું છે કે ‘રાની હસીનાનું પાત્ર નથી કરવાની અને એની પાછળનું કારણ એ છે કે હું પોતે હસીનાના પાત્રને લઈને ફિલ્મ બનાવીશ કે નહીં એ જ નક્કી નથી. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેટલાક ઇશ્યુને હું હજી સૉલ્વ કરી રહ્યો છું અને રાનીએ એવા રોલ માટે વજન વધારવાનું શરૂ કયુંર્ છે જે એને ઑફર કરવામાં જ નથી આવ્યો.’
બીજી બાજુ હસીનાના પરિવારને એ ચિંતા સતાવી રહી છે કે આ પ્રોજેક્ટને સારી રીતે પ્રસ્તુત કરવામાં આવશે કે નહીં? વળી એમ પણ સાંભળવા મળી રહ્યું છે કે રાનીએ થોડા સમય પહેલાં જ લગ્ન કર્યાં હોવાથી તે વ્યક્તિગત પરિવાર શરૂ કરવા પર ધ્યાન દઈ રહી છે.